________________
જોટેએ આ લૂંટનું વર્ણન કર્યું છે તે મુજબ અઢળક લક્ષ્મીથી ઊભરાતા રાંદેર નગરમાં ફિરંગીઓએ દિવસો સુધી લૂંટ ચલાવી હતી. રાંદેર પર ફિરંગીઓના આવા એક નહિ પરંતુ બલ્બ હુમલા થયા હતા. આ હુમલાઓથી રાંદેર બિસ્માર થઈ ગયું અને સદીઓ સુધી ઊભું થઈ શક્યું નહીં.
મુઘલકાળમાં રાંદેર નગરની સ્થિતિ અંગેના ઉલ્લેખોમાં મુઘલ શહેનશાહ જહાંગીરે રાંદેરની મુલાકાત ઈ.સ. ૧૯૨૪માં લીધી હતી. રાંદેરના નગરશેઠે જહાંગીર બાદશાહનું દબદબાભર્યું સ્વાગત કર્યું હતું. કહેવાય છે કે હાલના જહાંગીરપુરા પાસે જહાંગીર બાદશાહનો મુકામ હતો. ત્યાંથી રાંદેર સુધી રેશમના ગાલીચા પાથરી બાદશાહને નગરમાં લાવવામાં આવ્યા હતા. આજે પણ તે વિસ્તાર જહાંગીરપુરા નામે ઓળખાય છે.
રાંદેરની પુરાણી મસ્જિદોનું કળાત્મક બાંધકામ દર્શાવે છે કે ઇસ્લામધર્મી પ્રજા પણ અહીં વસી હતી. એ પ્રજા સમૃદ્ધ હતી અને વેપારી શાહ સોદાગર તરીકે વખણાતી હતી.
@
@
@
@G) DIG
SK
G |
H ||K D]E
A TC n Kg || E | |
k ) -
રાંદેરનાં મંદિરો રાંદેરમાં શ્વેતાંબરોનાં પાંચ મંદિરો છે અને દિગંબરોનું એક મંદિર છે. શ્વેતાંબરનાં મંદિરો : ૧. શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર, ઉત્તમરામ શેરી ૨. શ્રી નેમિનાથ ભગવાનનું મંદિર, નાની ગલી, લાલા ઠાકોરની પોળ ૩. શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર, નાની ગલી ૪. શ્રી મનમોહન પાર્શ્વનાથ (નવું) નિશાળ ફળિયા, ભગુભાઈની પોળ ૫. શ્રી અજિતનાથ ભગવાનનું મંદિર ૬. શ્રી ચંદ્રપ્રભુજીનું દિગંબર મંદિર આદીશ્વર ભગવાનનું મંદિર ઉત્તમરામ શેરી રાંદેરમાં આવેલું આ મંદિર ઘણું જૂનું અને પ્રથમ કક્ષાનું છે. મંદિરની બાંધણી પાછળની સદીઓમાં બંધાયેલા અન્ય જૈન મંદિરો જેવી છે, એટલે કે શિખરમંદિર નથી પરંતુ સામાન્ય ઘર જેવું મંદિર છે. ગર્ભગૃહ, રંગમંડપ અને ઉપરનો માળ છે. ગર્ભગૃહમાં મૂળનાયક આદીશ્વર ભગવાન મધ્યમાં બિરાજે છે. એમની આસપાસ શાન્તિનાથ સ્વામી, વિમલનાથ સ્વામી, મુનિવ્રત સ્વામી, વારીખેણ
જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૨૭
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org