SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ TryTryTm tryini rrrrh Territ Mility in L istinguistirrin TIMLInt, સુરતનાં જૈન મંદિરો સુરત વિશે પ્રાચીન દસ્તાવેજો મળતા નથી તેમ છતાં મધ્યયુગીન સંસ્કૃત કવિતા અને ગુજરાતી કવિતાના સંદર્ભો પરથી તથા પંદરમીથી ઓગણીસમી સદી સુધીનાં જૈન મંદિરોની ધાતુપ્રતિમાલેખો તથા અન્ય માહિતી પરથી અનુમાન કરી શકાય કે છેક શરૂઆતથી જ સુરત સૂર્યપુર તરીકે ઓળખાતું હતું. સુરતની આસપાસનાં સ્થળનામો પણ પરસ્પર સંકળાયેલાં છે : ૧. તપતી - તપનતનયા તાપી : સૂર્યપુત્રી ૨. રન્નાદે, રાંદલ - રાંદેર : સૂર્યપત્ની ૩. અશ્વિનીકુમાર : સૂર્યદેવના પુત્રો ૪. સુરત : સૂર્યપુર ૫. ઉત્રાણ : ઉત્તરાયન. સુરત શબ્દ સૂર્યપુત્રી > સૂરપુત્રી > સૂરઉત્તી > સુરુતી > સૂરતી > સુરત એ રીતે વ્યુત્પન્ન થયો છે. રાંદેરની ચડતીપડતી અને જૈનોનાં સ્મૃતિચિહ્નો : સુરતની વાત કરતા પહેલાં તેની પાસે આવેલા અને આજે તો સુરતનો જ વિસ્તાર બનેલા રાંદેર પર દૃષ્ટિપાત કરવો જરૂરી છે. રાંદેર નગરનો ઇતિહાસ અતિ પ્રાચીન છે. પૌરાણિક કથાને આધારે સૂર્યની પત્ની રન્નાદેવી-રન્નાદેનું મૂળ સ્થાન અને તપોભૂમિ રાંદેર ગણાય રાંદેરમાં સૂર્યપત્ની રન્નાદેનું સ્થાનક આજે પણ અંગ્રેજી ફળિયામાં મોજૂદ છે. આ દેવી ‘રાંધણી’ માતાને નામે પણ ઓળખાય છે. આ નગરનું નામ સં. “રત્ના” પ્રાકૃત રન્ના + 3ર (નગર) ઉપરથી રન્નેઅર > રન્નેર > રાનેર> રાંદેર બન્યું છે. રાંદેર ખૂબ સમૃદ્ધ નગર હતું. એ સમયે સુરતમાં માછીમારોનાં થોડાં ઝૂંપડાં જ હતાં. રાંદેર નગરનો ઇતિહાસ જૈન અનુશ્રુતિ પ્રમાણે મહાન અશોકના વંશજ સંપ્રતિ રાજા સાથે સંકળાયેલો મનાય છે. ઈ.સ. ૨૦૦થી ૨૨પના અરસામાં ઘણાં જૈન દેરાસરો રાંદેરમાં બંધાયાં હતાં. એ પછીના સમયમાં રાંદેરમાં જૈન દિગંબર અને શ્વેતાંબરોની મોટી વસતી હોવાના પુરાવા જૈન ગ્રંથોમાંથી મળે છે. તાપી કાંઠાનાં જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૨૫ Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005203
Book TitleJain Kashtapat Chitra
Original Sutra AuthorN/A
AuthorVasudev Smart
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2002
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy