SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ આ પુસ્તકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે એની ટિપ્પણી કરવા બેઠો ત્યારે મને સ્મરણ થઈ આવ્યું કે, પરમ પૂજય શાસ્ત્રસંશોધક અનેકભાષાકાવિદ જ્ઞાની તત્ત્વજ્ઞ મુનિવર્ય શ્રી જંબવિજયજી મહારાજ સાહેબે કેટલાએક વર્ષ પહેલા આત્માનંદ પ્રકાશ માસિકમાં આ તીર્થ સંબંધી લખાણે કરેલા છે. અને એ બધા લખાણો તેમના જ ગુરૂમહારાજ શ્રી ભુવનવિજયજીએ તપાસી લીધેલા હતા. મેં તરતજ શ્રી જૈન આત્માનંદ સભાના પ્રમુખ સાહેબને લખ્યું. તેઓ સાહેબે તરત જ અંકોમાં આ લખાણ હતું તે બધા અંકો મને મોકલી આપ્યા. એ બધા કે હું જોઈ ગયો મને ઘણો જ સંતોષ થયો. મારું કાર્ય બધું જ પંડિત પ્રવર મુનિ શ્રી અંબૂવિજયજી મહારાજે કરી રાખેલું છે એ જોઈ મને અત્યાનંદ . આવું સુંદર અને સર્વાગપૂર્ણ લખાણ મારા હાથે થયુ હોત એવું મને લાગતું નથી. તેથી જ એ મહાત્માના લખાણને વંદન કરી મારે “તથાસ્તુ” એટલું જ કહેવાનું એ લેખમાં પ્રસંગચિત શબ્દોમાં ફેરફાર કરી એ સંતપુરૂષના લેખ સંપૂર્ણતયા જેવા ને તેવાજ પ્રગટ કરવાનું મેં ઠરાવ્યું, તેથી જ આ પુસ્તકના લેખક તરીકે તેમનું જ નામ કાયમ રાખવાનું મેં ઉચિત ધાર્યું છે. આ એમના લેખો માટે એમનો જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો જ ગણાય. આ તીર્થને વહીવટ પરાપૂર્વથી તીર્થ કમીટી મારફત ચાલી રહ્યો છે. અનુકૂળતાએ વરસે વરસે કમીટીની મીટીંગ બોલાવવામાં આવે છે. ત્યાં નવી ચૂંટણી કરવામાં આવે છે. તેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરીઓ ઉપરાંત પ્રત્યક્ષ કાર્યવાહી કરવા માટે સર્વાધિકારીની નિમણુક કરવામાં આવે છે. પ્રભુજીની મૂર્તિ ઉપર જરૂર પડે ત્યારે લેપ કરવામાં આવે છે. શેઠ હરકચંદ હૌસીલાલજી બાલાપુરવાલા સર્વાધિકારી નિમાલા છે. તેઓ અત્યંતઉત્સાહ પૂર્વક અને ભકિતપુર્વક નિરલસપણે પિતાનું કામ તન-મન પર્વક કર્યે જાય છે. હાલના કમીટીના નામે બીજી જગ્યા ઉપર પ્રગટ કરવામાં આવ્યા છે. આ તીર્થની યાત્રા કરવા સારૂ અનેક સંઘે વારંવાર આવી ગયા છે. તેની નોંધ રાખવામાં આવી છે. તેમજ તીર્થના જમે ખરચના હિસાબે અને સરવૈયાઓ ચેકખા રાખવામાં આવે છે અને કમીટી આગળ મૂકવામાં આવે છે. યાત્રાળુ માટે સારી સુખસગવડવાળી અનેક ધર્મશાળાઓ છે. તેમજ પુજાના સાહિત્ય, સ્નાન ભજનની પણ વ્યવસ્થા તીર્થરક્ષક કમીટી તરફથી ભોજનશાળામાં મત કરવામાં આવે છે. શિરપુર આવવા માટેના માર્ગો બતાવવા માટે નકશો આપવામાં આવ્યો છે, જેથી જુદા જુદા ભાગોમાંથી આવતા યાત્રાળુઓને બધી માહિતી મળી રહેશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005202
Book TitleJain Shwetambar Tirth Antriksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorAntriksha Parshwanath Sansthan Shirpur
PublisherAntriksha Parshwanath Sansthan
Publication Year1972
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy