SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના આખા ભારતદેશમાં તે શું પણ ચમત્કારની દષ્ટિથી જગતનાં અનેક દેશોમાં પ્રસિદ્ધ થએલું મધ્ય ભારતમાં વિદર્ભ (વરાડ) દેશમાં, અકેલા જિલ્લાના શ્રાપુર ( શિરપુર ) ગામમાં આવેલું અત્યંત પ્રાચીન એવું “શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ' નામનું તીર્થ છે. આ તીર્થમાં કણબીની પિળકર નામની પેટા જાતિના લોકે પૂજારી તરીકે કામ કરે છે. શ્રીપુર ગામમાં તેમજ આસપાસના ગામમાં જૈન શ્વેતાંબરી ભાઈઓની વસ્તી ઓછી થઈ ગઈ અને પરિણામે પુજારીઓએ તીર્થમાં પિતાના સ્વાર્થની દષ્ટિથી અવ્યવસ્થા અને આશાતના શરૂ કરી. એ વસ્તુ બાલાપુર, આકેલા, ધુલીયા, અમલનેર, એવલા વિગેરે ગામોમાં વેતાંબર ભાઈઓના ધ્યાનમાં આવતાં પાળકર પૂજારીઓ પાસેથી તીર્થને કબજો મેળવવા માટે કોર્ટનો આશરો તેમને લેવો પડ્યો. આ કાર્યમાં સ્થાનિક દિગંબરી ભાઈઓની મદદ લેવાની ખાસ જરૂર જણાઈ પરિણામે તીર્થનો કબજો તાંબરી જૈનોએ મેળવ્યો. કાલાંતરે દિગંબરી ભાઈઓમાંના કાઈક માણસોએ પ્રભુજીની મૂર્તિની આશાતના કરી, તેથી દિગબરી ભાઈઓ સાથે સંઘર્ષ શરૂ થશે અને મામલો કે ચઢ્યો. ધણા વર્ષો સુધી એ લડત ચાલી અને છેવટે પ્રિવી કાઉન્સીલે. પ્રતિમાજી તાંબર હોવાનું તેમજ આ તીર્થ શ્વેતાંબર તીર્થધામ હોવાનું માન્ય રાખી વેતાંબરીઓને નિરપવાદ સંપૂર્ણ વહીવટને હક માન્ય કરી તે ચુકાદો આપ્યો આ કેસને કાર્યક્રમ ચાલુ હતો તેમાં પુરાવાઓ ભેગા કરવા, વકીલોને માહિતી આપવી પ્રત્યક્ષ મૂર્તિ કેર્ટને બતાવવી વિગેરે અનેક પ્રસંગે આ તીર્થના દર્શન કરવાનો લાભ મને મળ્યો હતો. તેમજ અકેલા અને નાગપરના ફેરા પણ કરવા પડ્યા હતા. વિલાયતમાં કેસ ચાલતો હતો ત્યારે શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડીયા સેલિસીટર નિઃસ્વાર્થપણે ગયા હતા, એની નોંધ લેતાં અમને આનંદ થાય છે. તેમનો ઉપકાર માનીએ છીએ. દરેક પ્રસંગે આ તીર્થને મહિમા અને ભૌગોલિક, ઐતિહાસીક વિગેરે બધી માહિતી આપતું એકાદ પુસ્તક પ્રગટ કરવામાં આવે તો આખા જૈન સમાજને આ મહાન પ્રમાવિક તીર્થના દર્શન-પૂજનનો લાભ મળે. અને અનેક જાતની શંકાઓ દૂર થઈ વસ્તુસ્થિતીની માહિતિ મળી જાય તેમજ તીર્થનો મહિમા પણ વધે એવી ઈચ્છા હતી, પણ વારંવાર કમીટી આગળ આ પ્રશ્ન આવવા છતાં તેનો કાળ પાયે ન હતો. ભાગ્યેગે તીર્થંરક્ષક કમીટીએ આવું પુસ્તક પ્રગટ કરવાનો નિર્ણય કર્યો અને આ કાર્ય હાથ ધરવાનું કામ મને સોપવામાં આવ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005202
Book TitleJain Shwetambar Tirth Antriksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorAntriksha Parshwanath Sansthan Shirpur
PublisherAntriksha Parshwanath Sansthan
Publication Year1972
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy