SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ઓ તીર્થ મો કયા કયા સુધારા કરવાની જરૂર છે. એ બાબત અહીંઆ મારા પિતાના વિચારો હું જણાવું તે અસ્થાને નહીં ગણાય. કાલાંતરે એવા જરૂરી સુધારા જરૂર થઈ જશે એવી મને ખાત્રી છે. આ તીર્થની અદભુતતા અને ચમત્કાર ઘણા પ્રસિદ્ધ હોવાથી આગામી કાલમાં કઈ દાનશર મહાનુભાવ જાગશે અને મારી કલ્પનામાં રહેલું કાર્ય થઈ જશે એવો મને વિશ્વાસ છે. ૧. મંદિરનો બાહ્ય દેખાવ કરવા માટે બહારની ભીંતોને પ્લાસ્ટર કરી સુશોભિત રંગ લગાવો. ૨. પૂર્વ દિશામાં મંદિર આગળ ખાલી જગ્યા છે. તે ઉપર મંદિર દીપી નિકળે એવું બાંધકામ, પ્રવેશદ્વાર વિગેરે કામ કરાવવું. ૩. શ્વેતાંબર પેઢીની પાછળની ભીંતમાં પ્રવેશદ્વાર કરવું અને અંદરનાં ભાગમાં રંગ વિગેરે કામ કરાવવું. ૪. હાલમાં પ્રભુના આગળ જે ગભારો છે તે સાંકડે હોવાથી તેને વિશાલ કરવો. તા સ્થાપત્યશાસ્ત્રના કોઈ જાણકારની સલાહ મેળવી બીજી પણ ગોઠવણો અને કામ કરવાની જરૂર છે. આ પુસ્તકમાં દાખલ કરવા લાયક કોઈ બીજી બાબત રહી ગએલી હશે તા તનું સૂચન કમીટીને કરવું, જેથી બીજી આવૃત્તિમાં તેવો સુધારો કરી શકાય. હવે પછી વેતાંબરી અને દિગંબરી બને આમ્નાયના ભાઈઓએ સલાહ-સંપથી ચાલી આ તીર્થનો મહિમા જેમ બને તેમ વધારી પ્રભુભકિત કરતા રહેવું એવી બન્ને પક્ષના ભાઈઓને મારી વિનંતિ છે. કેર્ટના ઝગડામાં આપણે ઘણું ખોયું છે, એવો વિચાર કરી ઐક્ય અને સહકારની ભાવના કેળવતા રહેવું એવી પણ મારી પ્રાર્થના છે. માલેગામ વિ. સં. ૨૦૧૬ સ્વ. બાલચંદ હિરાચંદ સાહિત્યચંદ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005202
Book TitleJain Shwetambar Tirth Antriksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorAntriksha Parshwanath Sansthan Shirpur
PublisherAntriksha Parshwanath Sansthan
Publication Year1972
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy