SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ in/ વી. કરાર આ તીર્થમાં પૂજા વગેરે કરવા માટે જૂના વખતમાં આપણું લોકોએ શિરપુરગામમાં વસતા મરાઠાઓને પૂજારી તરીકે રાખ્યા હતા કે જે પિલરોને નામે ઓળખાય છે. મંદિરમાં જના વખધી પડી પણ રહેલી હતી અને ચેપડા તથા આંગી, ચક્ષુ, ટીકા વગેરે આભૂષણો પણ રહેતાં હતાં. વિ. સં. ૧૮૪૫ થી માંડીને તે પછીના કાળના હિસાબી ચોપડાઓ પણ મળે છે. ત્યાં શિરપુરગામમાં આપણી વસ્તી ન હોવાને લીધે નજીકમાં જ વરાડામાં રહેતા તથા ખાનદેશમાં રહેતા શ્રાવકે તે તે સમયે અવારનવાર અહીં આવતા જતા હતા અને દેખરેખ રાખતા હતા. હિસાબ વગેરે તપાસી લેતા હતા. તેમાં બાલાપુર (વરાડ) ના શા. પાનાચંદ નથુસા તેમના પુત્ર શા. હૌશીલાલ પાનાચંદ શા. હૌશીલાલ વલ્લભદાસ, તેમના ચિરંજીવ શા. પુજાસા હૌશલાલ તથા તેમના ચિરંજીવ શા. કિસનચંદ પુંજાસા તથા ખાનદેશમાં અમલનેરના શા. હીરાચંદ ખેમચંદ રધુનાથદાસ, ધુલીયાના શા. સખારામ દુલભદાસ તથા યેવલાના શા. લાલચંદ અંબાઈદાસ અને શા. કલ્યાણચંદ લાલચંદ વગેરે શ્રાવકે મુખ્યતયા તે તે સમયે વહીવટ સંભાળતા હતા. પિલકરાનાં સમયમાં પણ ઉપર મંદિરના ચેકમાં વિરાજમાન ધ્વજદંડ કે જે ચાંદીના પતરાંથી મઢેલો છે તેના ઉપર પણ વેતાંબરનું નામ કોતરેલું છે તે ધ્યાન ખેંચનારું છે– __संस्थान शिरपुर अंतरिक्ष महाराज बापुसा नागोसा सावजी साकळे ओसवाल सितंबरी हस्ते पद्मा बाई, दुकान कलमनूरी, सन १२८९ मिती चैत्र शुद १० કલમનુરી ગામ અંતરિક્ષથી દક્ષિણે લગભગ ૫૦ માઈલ દૂર નિજામ રાજ્યમાં આવેલું છે. અત્યારે ત્યાં શ્વેતાંબરોની વસ્તી પણ છે જ. વિગલીથી ૨૦ માઈલ પૂર્વ દિશામાં છે. નિજામના મુસ્લિમ રાજ્યમાં ફસલી સન ચાલતો હોવાથી સન ૧૨૮૯ એટલે વિક્રમ સંવત ૧૯૩૫ સમજવાનું છે. પરંતુ જેમને પૂજારી તરીકે નીમવામાં આવ્યા હતા અને બ્રિટિશ સરકારે વરાડને કબજે લીધો તે પહેલાં હૈદ્રાબાદના મુસ્લિમ રાજ્યકર્તા નિજામનાં રાજ્યકાળમાં ચારેબાજુ અંધાધુંધીના વખતમાં તીર્થનું રક્ષણ કરતા હતા તે મરાઠા પોલકરો જ પાછળતી તીર્થને દબાવી બેઠા હતા. ગામમાં દિગંબર શ્રાવકોનાં પચાસ-પોણાસો ઘર હતા, પણ તેમને તો ત્યાં કંઈ અધિકાર જ ન હતા. માત્ર દર્શન વગેરે માટે આવતા હતા. તાંબરોને જ વહીવટ હતો, પણ તે દૂર વસતા હોવાથી અને જવા આવવાના સાધને જુના જમાનામાં બહુ મર્યાદિત હોવાથી પોલકરો ધીમે ધીમે ઉદ્ધત થઈ ગયા હતા. કેઈને દાદ દેતા ન હતા, (૫૮ ) Jain Education fernational For Private & Personal Use Only www.linelibrary.org
SR No.005202
Book TitleJain Shwetambar Tirth Antriksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorAntriksha Parshwanath Sansthan Shirpur
PublisherAntriksha Parshwanath Sansthan
Publication Year1972
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy