SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ +8 આપે જગતમાં બતાવ્યા છે, તો શું મારા બે નેત્રો ખેલવા આપને કઠીન છે ? હે નાથ હે તાત! હે સ્વામિન ! હે વીમાકુનંદન હે અશ્વસેનવંશ. દિપક ! પ્રત્યક્ષ દર્શન આપશે. જે માતા-પિતા પુત્રને ઈષ્ટ વસ્તુ નહી આપે તો બીજું કારણ આપવાનું ? માટે હે તાત ! મને નેત્ર આપ.” {É 32 આ પ્રમાણે ઉદ્ગાર કરતા જ મારી આંખના પડળ તૂટી ગયાં, અને લેકેના ‘જય જય” નાદની સાથે મે ત્રણ જગતના નાયક શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનનાં દર્શન કર્યા. જેમ મેઘ ચાલ્યા ગયા પછી સર્વે કરાણીઓ સૂર્યને સ્પષ્ટ જોઈ શકે છે તેમ ચક્ષુગોચર પદાર્થોને હું નજર સામે ફરીથી જોવા લાગ્યો. હે નાથ ! આપ લોઢાને સુવર્ણ કરનારા સાચે જ પારસમણિ છે, તેથી આપના પિતાએ આપનું સાચું જ પારસનાથે ” નામ રાખ્યું છે. પછી પાર કરીને મેં હર્ષથી વિકસિત ને મને દૃષ્ટિ ( આંખે ) આપનાર શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનનાં ફરી ફરીને દર્શન કર્યા. પછી રાત્રે સ્વપ્નમાં આવીને મને દેવતાએ કહ્યું કે “હે વત્સ! અહીં નાનું મંદિર હોવાથી તું મેટું ( દીર્ઘ) મંદિર કરાવ.” પછી ઉઠીને સવારે શ્રાવકોને ઉપદેશ કરીને ધન એકત્ર કરાવીને મંદિર બંધાવવાની શરૂઆત કરાવી. અન્ય સંઘને રજા આપીને થોડા શ્રાવકે સાથે હું ત્યાં રોકાયો અને એક વર્ષમાં નવું મંદિર પૂર્ણ તૈયાર કરાવ્યું. પછી તેમાં વિક્રમ સંવત ૧૭૧૫ ના ચૈત્ર સુદ ૬ ને દિવસે રવિવારે તે નવા મંદિરમાં ઉત્સવપૂર્વક શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનને સ્થાપન કર્યા. ત્યાં પણ તે શ્રી અંતરિક્ષ ભગવાનને ભૂમિનો સ્પર્શ ન કર્યો ત્યારે સ્તુતિ કરીને મુશ્કેલીથી મૂમિથી એક આંગળ ઊંચે સ્થાપન કર્યા. ત્યાં આસન ઉપર ભગવાનની પૂર્વદિશાભિમુખ રતિષ્ઠા કરીને બેધિબિજસમ્યકત્વને ઉપાર્જન કરીને હું કૃતકૃત્ય થયો, ત્યાં જ મારા ગુરૂશ્રી વિજયદેવસરિઝની પાદુકાની ગુરૂભકિતપરાયણ શ્રાવકે પાસે પ્રતિષ્ઠા કરાવી. પછી ત્યાં કેટલાક દિવસ રહીને દેવાધિદેવ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની ખૂબ ભાવપૂર્વક ભાવના ભાવીને ( દર્શન કરીને ) ભગવાનનાં દર્શન કરવા માટે ફરીથી પાછા આવવાની ઉત્કંઠા સાથે હું ત્યાંથી નીકળ્યો. રસ્તામાં મેં લોકેાના ઉપકારને માટે સર્વ ઠેકાણે શ્રી અંતરિક્ષ ભગવાન(ના મહામ્ય)ની સૂચના કરી. આ પ્રમાણે જે કોઈ મનુષ્ય શ્રી આંતરિક્ષ ભગવાનને આશ્રય લેશે તેના મનેને તે ભગવાન પૂર્ણ કરશે. ગ્રંથકારની પ્રશસ્તિ શ્રી હીરસૂરી મહારાજે અકબર બાદશાહ પાસેથી સાત તીર્થના તામ્રપટ લખાવી લઈને પાંવચંદ્રદિવાકર જય મેળવ્યો. તેમના શિષ્ય શ્રી વિજયસેનસૂરિથયા ક Jain Education International For Private & Personal Use Only www.jafjelibrary.org
SR No.005202
Book TitleJain Shwetambar Tirth Antriksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorAntriksha Parshwanath Sansthan Shirpur
PublisherAntriksha Parshwanath Sansthan
Publication Year1972
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy