SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ - રાવણના સેવક માલી અને સુમાલી કોઈ કાર્યાથે વિમાનમાં બેસીને જતા હતા તે વખતે વચમાં ભજનનો અવસર થવાથી નીચે ઉતર્યા, પણ પ્રતિમા સાથે લાવવી ભૂલાઈ ગઈ હતી અને પ્રતિમા– પૂજા સિવાય ભોજન ન કરવાની તેમની પ્રતિજ્ઞા હતી; તેથી તેમના આ ફૂલમાળી નોકરે વિદ્યાબળથી વાળ ( રેતી ) ની શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ બનાવી હતી અને જતી વખતે નજીકના સરોવરમાં પધરાવી દીધી હતી, પાણીમાં પધરાવવાથી સ્વાભાવિક રીતે જ મૂર્તિ નાશ પામી જાય, પરંતુ દેવભાવથી અખંડજ રહી. કાલક્રમે આ સરોવર | નાનું ખાબોચિયું બની ગયું. 03 વિગઉલ્લી ( વિગલિ-હિંગોલિ) પ્રદેશના વિગઉલ્લ (હિંગોલિ) નગરના રાજા શ્રીપાલને સગે કાઢનો રોગ થયો હતો. તે રોગ આ પતિ માના સ્પર્શથી પવિત્ર થયેલા ખાબોચિયાના પાણીથી સ્નાન કરવાથી સર્વથા મુલથી નાશ પામ્યો હતો. રાત્રે રાજાની રાણીને સ્વપ્નમાં દેવે આવીને કહ્યું કે–“આ પાણીની અંદર ભવિષ્યમાં થનારા શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે. તેને ગાડીમાં સ્થાપીને સાત દિવસના જન્મેલા વાછરડા જેડીને, રાજાએ ગાડીમાં આગળ બેસીને કાચા સુતરના તાંતણુથી બનાવેલી દેરીની લગામથી વાછરડા હાંકીને પિતાના સ્થાન તરફ ગાડીને લઈને જવી, પણ પાછું વાળીને ન જેવું. રાજાએ તે પ્રમાણે બધું કર્યું પણ કેટલેક દૂર ગયા પછી મૂર્તિ આવે છે કે નહીં એવી શંકાથી પાછું વાળીને જેવાથી મૂર્તિ ત્યાં જ ઊંચે સ્થિર થઈ ગઈ મતિ આગળ ન આવવાથી રાજાએ પોતાના નામ ઉપરથી ત્યાં જ સિરપુર (શ્રીપુર) ગામ વસાવ્યું અને ત્યાં જ ચૈત્ય બંધાવીને તેમાં પ્રતિમા પ્રતિષ્ઠિત કરી. શ્રી જિનપ્રભસૂરિના આ લખાણથી એમ ફલિત થાય છે કે શ્રીપાળ રાજા સંબંધી આ આખોય પ્રસંગ શ્રી પાર્શ્વનાથ ભગવાન થયા તે પહેલાં જ બની ગયેલ છે. શ્રી જિનપ્રભસૂરિજી લખે છે કે “પહેલાં નીચેથી પાણિયારી શ્રી નીકળી જાય એટલી અદ્ધર પ્રતિમા હતી, પણ કલિયુગના પ્રભાવથી અત્યારે અંગેલું છાણું જ નીચેથી નીકળે તેટલી અદ્ધર છે.” આથી એમ લાગે છે કે જિનપ્રભસૂરિના વખતમાં એટલે કે આજથી લગભગ સવા છ (૬૨૫) વર્ષ પહેલાં પણ આપણે અત્યારે (૨૧ મી સદીમાં) જેટલી અદ્ધર પ્રતિમા જઈએ છીએ તેટલી જ અદ્ધર હતી. અત્યારે પણ અંગલું છણું નીચેથી નીકળે તેટલી એર છે જ. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થનો સં. ૧૩૮૫ આસપાસ શ્રી જિનપ્રભસરિએ લખેલો એતિહાસિક વૃત્તાંત આવી ગયો છે. ત્યારપછી કાલાનુક્રમે જોતાં દેવગિરી ( દૌલતાબાદ) માં વસતા રાજા નામના સંધવીએ વિ. સં. ૧૪૭૩ પૂર્વે અંતરિક્ષજી તીર્થની યાત્રા કર્યાને ઉલ્લેખ મળે છે, પરંતુ આમાં અંતરિક્ષનો માત્ર નામોલ્લેખ જ હોવાથી આ અને આવા બીજા માત્ર નામોલ્લેખવાળા ભાગે અંતે અક્ષરશઃ યથાશક્ય આપવામાં આવ્યો છે. હમણાં તો આ તીર્થની ઐતિહાસિક માહિતી આપતા હોય તેવા લેખે જ તપાસીશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005202
Book TitleJain Shwetambar Tirth Antriksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorAntriksha Parshwanath Sansthan Shirpur
PublisherAntriksha Parshwanath Sansthan
Publication Year1972
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy