SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ // નમ: અંતરિક્ષ પાર્શ્વનાથાય છે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથજી તીર્થ ઈતિહાસ અને માહાસ્ય આ તીર્થનું સતત ચાલતું સ્મરણ અંતરિક્ષ વકાણે પાસ, જીરાવલો ને થમણપાસ છે ગામ નગર પુર પાટણ જેહ, જિનવર ચિત્ય નમું ગુણ ગેહ આ સકલ તીર્થ વંદન સ્તોત્રની કડીથી પ્રાત:કાલના પ્રતિક્રમણમાં આપણે જેમને નિત્ય નમન કરીએ છીએ તે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનનું તીર્થ હમણાં વરાડને નામે ઓળખાતા પ્રાચીન વિદર્ભ દેશના આકેલા જીલ્લાના વાશીમ તાલુકાના લગભગ ૨૦ ઉત્તર અક્ષાંશ અને ૭૦ પૂર્વ રેખાંશ ઉપર રહેલા શિરપુર નામના ગામમાં આવેલું છે. ગામના એક છેડા ઉપર આપણું જિનાલય છે. તેમાં ભયરાની અંદર એક મોટા ગોખલામાં લગભગ મસ્તક સુધી ૩૬ ઈંચ ઊંચી અને ફણ સુધી ૪૨ ઈંચ ઊંચી તથા ૩૦ ઈચ પહાળી શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથસ્વામીની મૂર્તિ બિરાજે છે. અંતરિક્ષ શબ્દને અર્થ “ આકાશ” થાય છે એટલે ઊંચે આકાશમાં અર્થાત કોઈ પણ આધાર વિના ભૂમિથી અદ્ધર રહેલી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા એવો શ્રી અંતરિક્ષપાશ્વનાથ શબ્દનો અર્થ થાય છે. અને ખરેખર આ પ્રતિમાજી ભૂમિને જરા પણ આધાર રાખ્યા સિવાય તેમ જ પાછળ તથા બંને પડખે ભીંતને જરા પણ સ્પર્શ કર્યા વિના ભૂમિથી એક આંગળ અદ્ધર જ વિરાજે છે. પ્રતિમાજીની નીચેથી બરાબર જંગલુંછણું પસાર થાય છે. તેમજ પ્રતિમાજીનો પલાંઠી પાસે બંને પડખે દીવા મૂકીને પણ મૂર્તિને નીચે તેમજ પાછળ સર્વત્ર પથરાઈ જતો પ્રકાશ જોઈ શકાય છે. એક નાનું સરખું પાંદડું પણ આકાશમાં અદ્ધર નથી રહી શકતું, છતાં આટલાં મોટા અને વજનદાર પ્રતિમાજી સેંકડો વર્ષોથી કોઈ પણ આધાર વિના અદ્ધર બિરાજે છે એ એક મહાન અતિશય જ છે. અંધકારમય કલિયુગમાં પણ અપાર તેજથી ઝગમગતી ખરેખર આ તેજસ્વી જયોત છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનનો મહિમા અને પ્રગટ પ્રભાવ સુપ્રસિદ્ધ છે જ, છતાં સર્વ માણસે પ્રત્યક્ષ જોઈ શકે એવો પ્રભાવ તે અહીંયા જ દૃષ્ટિગોચર થાય છે. આ પ્રતિમાનાં દર્શન કરીને આસ્તિકના આનંદ અને વિમયને તે પાર રહેતો નથી જ, પરંતુ નાસ્તિકની બુદ્ધિ પણ અહીંયા તે આવીને નમી જાય છે અને તેને આસ્તિક બનાવી દે તે આ ચમત્કાર છે. માત્ર જેનો જ નહીં, પણ શિરપુરમાં તેમ જ આજુબાજુના ગામોમાં વસતા જૈનેતર પણ આ મૂર્તિ ઉપર અપાર શ્રદ્ધા ધરાવે છે અને દર્શનાર્થે તથા વંદનાથે આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005202
Book TitleJain Shwetambar Tirth Antriksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorAntriksha Parshwanath Sansthan Shirpur
PublisherAntriksha Parshwanath Sansthan
Publication Year1972
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy