SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ તેથી કરીને સંસ્થાનમાં થતા ઉત્પન્ન ઉપર તેની જબરી અસરી પડી. ખર્ચાઓ જેવાને તેવા જ ચાલુ રહ્યા, ઊલટા નોકર ચાકરોના ખર્ચા વધ્યા અને ઉપસ્થિતી ઘટી જવાથી સંસ્થાનની આવક એકદમ ઘટી ગઈ. આપત્તીઓનું નિવારણ કરવા પાછળ સંસ્થાનના વ્યવસ્થાપકોને ખૂબ જ દોડા દોડ કરવી પડી, પ્રવાસ ખેડવો પડયો અને તેમાં પણ અનહદ ખચ થયું. તે સિવાય આખા ભારતવર્ષના શ્વેતાંબર જેનોને ખુબ મનસ્તાપ સહન કરવો પડ્યો, તે અને જે અનુષ્ઠાનો વિગેરે કરવા પડ્યા તેનું મોલ કેપ્યું અને કેટલું કાઢી શકે ? આ રીતે થએલા નુકસાનની ભરપાઈ દીગંબરભાઈએાને કરવી પડશે જ એમ સમજીને આપણે તેમની સામે નુકસાન ભરપાઈનો દાવો માંડ્યો જે હજુ ચાલુ છે. નવું પર્વ અને નવો ઉત્સાહ : દેવગુરૂની કૃપાથી દગંબરીઓએ ઉપસ્થિત કરેલા સર્વ વિનિ દૂર થવાથી લેકે માં નો ઉત્સાહ નિર્માણ થયે અને નવ નવા કાર્યકર્તાઓ આગળ આવ્યા અને તીર્થ રક્ષા અને તીર્થોદ્ધારની ભાવના ખૂબ વધી પડી, તે અંગે થયેલા પ્રયત્નો અત્રે આપીએ તો અસ્થાને નહિ ગણાય. મૃર્તીનું નૂતન દિવ્ય દર્શન : મૃત ઉપર કારાગીરી કરનાર ભાઈઓએ પિતાની બુદ્ધિ સર્વસ્વ ત્યાં ખરચ કરી પ્રતિમાને ખૂબ જ સુંદર અને ભાવવાહ બનાવી અને ખરેખર જ “પ્રશમરસ નિમગ્ન દુછીયુમે પ્રસન્નમ ” એવી એ પ્રતિમા થઇ છે. તેથી તે પ્રતિમાના દર્શન કરતાં કોઈ પણ માણસનું ભાન ખોવાઇ જાય છે અને વ્યાંથી ખસવાની તેની ભાવના થતી નથી, જેઓ કોઈએ આ ચમત્કારી અને અત્યંત પ્રભાવી એવા પ્રતિમાના દર્શન નહિ કર્યો હોય તેમણે જરૂર કરવા જેવા છે, તો અવશ્ય કરવા એવી અમારી ખાસ ભલામણ છે. આશાતના થવાથી શાંતિ કરવાની જરૂર : દિગંબર ભાઈઓએ પ્રભુ પ્રતિમાની વારંવાર કરેલી આશાતનાના કારણે ત્યાં અઢાર અભિષેક પૂજા વિધિ અને શુદ્ધિ કાર્ય કરવાની આવશ્યકતા લગભગ બધાને જણાતી હતી કાર્યકર્તાઓએ ભેગા થઈ વિચાર કર્યો અને સમારંભ પૂર્વક અઢાર અભિષેક, પૂજન કરવાનું નક્કી થયું. તે કાર્ય માટે નિધિ ભેગા કરવામાં આવ્યો અને આ કાર્યનું માર્ગદર્શન લેવા માટે આચાર્ય ભગવંતને બોલવવાનું નક્કી થયું અને વ્યવસ્થા માટે જુદી જુદી સમિતિઓ સ્થાપન કરવામાં આવી રીતે કાર્યારંભ થયો અને ઉત્સાહનું વાતાવરણ તૈયાર થઈ ગયું. ( ૧૧ ). www.jainelibrary.org Jain Educatio International For Private & Personal Use Only
SR No.005202
Book TitleJain Shwetambar Tirth Antriksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorAntriksha Parshwanath Sansthan Shirpur
PublisherAntriksha Parshwanath Sansthan
Publication Year1972
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy