SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ * * * આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયભુવન તિલકસૂરીશ્વરજી સાહેબને આમત્રણ : નવી દિલીપ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયભુવન તિલકસૂરીશ્વરજી મહારાજનું ચોમાસુ ત્યારે માલગામ (નાસિક) મુકામે હતું. તેમને તીર્થ કમિટી તરફથી ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું. તેઓ ઉંમરથી ખુબ જ વૃદ્ધ હોઈ તેઓ માટે આટલો લાંબો વિહાર કરવાની શક્યતા બહુ જ ઓછી હતી પરંતુ તેઓએ તીર્થના પ્રભાવથી ખેંચાઈને ત્યાં આવવાનું વિકાર્યું, અને તેઓ આ દીર્ઘપ્રવાસ ખેડીને પણ શિરપુર આવી પહોંચ્યા. આવ્યા પછી તેઓએ દરેક રીતે માર્ગદર્શન આપ્યું અને મૂહર્તો વગેરે કાઢી આપ્યા, અને અષ્ટાદશાભિષેક, બૃહત અષ્ટોતરી જતાંસ્નાત્ર પૂજન, નવગ્રહ, દશ દિગ્ગાલ પૂજન, અને અષ્ટ મંગલ પૂજન વગેરે વિધીવિધાન કરવાનું જાય અને જલયાત્રાને મોટો વરઘોડો કાઢવાનું પણ નક્કી થયું. ગુજરાતમાંથી છાણી ગામથી વિધીવાળા પંડિતોને આમંત્રણ અપાયુંસંગિતવાળા અને બીજા બધા મદદનીસ ભાઈઓને આમંત્રણ અપાયા અને શિરપુરમાં પૂરજોશથી તૈયારીઓ થવા માંડી, પત્રિકા છપાવી આમંત્રણ અપાયા અને પાર્શ્વનગરની રચના, ભેજન મંડપ વગેરેની સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી. શિરપુર ગામ કે દેવનગરી : મહત્સવનું વાતાવરણ ખુબ જ ફેલાયું અને શિરપુર ગામને દેવનગરીનું સ્વરૂપ આવી ગયું. મંગલ કલશની સ્થાપના કરવામાં આવી અને જ્યાં ત્યાં મંગલ વાદ્યૌના સ્વરોથી વાતાવરણ સુમધુર બન્યું અને મેટરો ભરી ભરીને યાત્રીઓ આવવા માંડ્યા. માલેગામથી લાવેલ શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમાને સ્થાપન કરવામાં આવી અને રાતના પાર્શ્વનગરને દેવમંડપમાં સંગીતકારોએ ભક્તિની ખુબ રમઝટ જમાવી બધાને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા. આ રીતે દેવભક્તિનું અનુપમ કાર્ય શિરપુરમાં પ્રથમ જ થતું હોવાની જૈનજૈનેતર પ્રજામાં અનેરો ઉત્સાહ આવી ગયો હતો અને તે હિસાબે અર્થ દરેક રીતે ઉપજ પણ સારી થઈ હતી. જલજાને વરઘોડો : પ્રભુની અષ્ટાદશ અભિષેક જુદા જુદા સુગંધી દ્રવ્યો મૌતિક, વિવિધ રત્ન વડે, કરીને જુદા જુદા જુદા સ્થળેથી મંગાવેલા ૧૦૮ કુંભના જળથી અભિષેક કર્યા પછી પ્રભુના મંદિર પાસેથી ખુબ જ ઠાઠેમાઠ પૂર્વક જલયાત્રાનો અપુર્વ એ વરઘોડો કાઢવામાં આવ્યો હતો. અગ્રભાગે ઈંદ્રવજ, ચાંદીને રથ અને હજારો ભાઈ બહને ઉભરાતા ઉમંગ સાથે રથયાત્રામાં વ્યવસ્થિત ચાલતા હતા, તે જોઈ ગામના હજારો ભાઈ બહેનોએ મેમાં આંગળી નાખી હતી અને ખુબ જ અનુમોદના કરી હતી. | (૧૨) Jain Education International For Private & Personal Use Only www.jainerary.org
SR No.005202
Book TitleJain Shwetambar Tirth Antriksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorAntriksha Parshwanath Sansthan Shirpur
PublisherAntriksha Parshwanath Sansthan
Publication Year1972
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy