SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પટ્ટાવલી ] ૧૫ આ ખપુટાચા શકાય ?’ એટલે પુરેાહિત, પોતાની સાગઠી ખરાખર લાગી છે એમ જાણીને કહ્યું છે કે મહારાજ ! એ માટે આપ મુઝાશો નહિ. હું તેને સહેલા તે સરલ ઉપાય કરીશ.’ પુરોહિતે રાજાનાથી ઘેાષણા કરાવી કે ગુરુમહારાજને શ્રેષ્ઠ આહાર-મિષ્ટાન્ન વહેારાવવા. આમ આધાકમી આહાર હમેશ મળવાથી શિષ્યાએ આચાર્યને વાત કરી. આચાયૅ પ્રતિષ્ઠાન નગરમાં શાતવાહન રાજા પાસે જવું ઉચિત ધાયું. શાતવાહન રાજા જૈન ધર્મી હતા. તેણે આચાર્યનું ભારે ધામધૂમથી સામૈયુ કર્યુ. હવે મહાપવિત્ર પર્યુષણુ પર્વ નજીક આવતાં શાતવાહન રાજાએ સૂરિમહારાજને વિનતિ કરી કુ-આ દેશમાં ભાદરવા શુદિ પાંચમના ઇંદ્રધ્વજના મહે।ત્સવ થાય છે, માટે છઠ્ઠનું સ ંવત્સરી પર્વ કરા કે જેથી હું આરાધન કરી શકું. ગુરુમહારાજે જણાવ્યું કે રાજન ! પૂર્વે તી કરે કે ગણધર મહારાજાએ પંચમીનું અતિક્રમણ કર્યું... નથી, માટે પંચમી પછી સંવત્સરી થઇ શકે નહિ. ત્યારે રાજાએ વિજ્ઞપ્તિ કરી કે તે ચેાથનું પર્વ કરો. આ પ્રમાણે સંવત્સરી પર્વ પાંચમનું હતુ તે ચેાથનુ બન્યુ. કાલકાચા ના જીવનચિત્ર સબંધી સત્ય હકીકત મળવી અશકય છે, કારણ કે ત્રણ કે તેથી પણ વધારે કાલકાચાર્યો થયા છે જેથી એક બીજાની હકીકત એક ખીજાના નામ સાથે સેળભેળ થવા પામી છે.(૧) દત્તરાજી આગળ યજ્ઞફળકથન (૨) ઇન્દ્ર પાસે નિગેાદ વ્યાખ્યાન (૩) આજીવઢ્ઢા પાસે નિમિત્ત પઠન ( ૪ ) અનુયાગ નિર્માણુ (૫) ગર્દભીલેચ્છેદ ( ૬ ) ચતુર્થી પષણા અને ( ૭ ) અવિનીત શિષ્યપરિત્યાગ—આમ જુદી જુદી સાત હકીકતા તેઓના જીવન સાથે સંકળાયેલી છે. કેટલાકો એમ પણ જણાવે છે કે ૯૬ મિત્રરાજાએ સિંધમાંથી હતા. વળી ભરુચમાંથી પ્રતિષ્ઠાનપુર તરફ વિહાર કરવાને લગતી હકીકતમાં પ્રતિષ્ઠાન જઇને પંચમીની ચતુર્થી કરી એવું પણ કેટલાકેાનું મંતવ્ય છે. " તેમના ગુરુ સબંધી કે ગચ્છ સંબંધી વિશેષ માહિતી મળતી નથી, પણ તે યુગપ્રવ પુરુષ હતા જ. તેમણે પંચમીની ચતુર્થી કરી તો ખરી પણુ તેને જૈન સંધ પાસે “ પ્રમાણિક તરીકે મંજૂર કરાવી તેથી પણુ જણાય છે કે જૈન સંધમાં તેમના કેવા પ્રતાપ હતા. તેમની વિહારભૂમિ પશુ વિસ્તૃત હતી. દક્ષિણમાં પ્રતિષ્ઠાન સુધી, પશ્ચિમમાં ફારસની ખાડી ને શાકિસ્તાન સુધી, પુર્વમાં પાટલીપુત્ર ( પટના ) સુધી. નહીં પણ ઇરાનથી આવ્યા પણ એ મત છે. ઉજ્જૈણુથી આ ખપુટાચાર્ય શ્રી મુનિસુવ્રતસ્વામીના મનેાહર પ્રાસાદથી મઢિત ભરુચ શહેરમાં આય ખપુટાચાય બિરાજ માન હતા. તેમની સ્મરણુશક્તિ એટલી બધી તીવ્ર હતી કે તેમણે અલ્પ સમયમાં સમગ્ર શાસ્ત્રનુ અધ્યયન કર્યુ હતુ. તેમને વિદ્યાચક્રવર્તી એવું બિરુદ આપવામાં આવ્યું હતુ. તેમને ભુવન નામે પોતાના જ ભાણેજ શિષ્ય હતા. તે પણ અતિ પ્રાન હેાવાથી સાંભળવા માત્રથી વિદ્યા ગ્રહણ કરી શકતા. Jain Education International ,, બૌદ્ધોનું પરિબળ આ સમયે વિશેષ હતું અને સમય પણ વાદવિવાદનેા હતો. જિનશાસનને પરાજિત કર્વાની ઇચ્છાથી ગુડશસ્ર નામના નગરથી મહુકર નામના સમથ બૌદ્દાચાય વાદવિવાદ માટે ભરુચ આવ્યા પણ સૂર્ય આગળ ખત્તુતે ઝાંખા પડે તેમ સ્યાદ્વાદના અનુપમ સિદ્ધાંત આગળ તે તે જ પરાજિત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005201
Book TitleTapagaccha Pattavali
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherVijaynitisurishwarji Jain Library
Publication Year1940
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy