________________
૧૮
વીરધર્મને પુનરૂદ્ધાર.
જૈન સમાજમાં જ્યાં સડો લાગે છે, શાથી લાગે છે અને તેને ઉપાય શું છે તે આ પુસ્તકમાં મુનિ મહારાજ શ્રીન્યાયવિજયજીએ બતાવ્યું છે. હાલમાં “જુનું તે જ સેનું” એ ન્યાયે ખોટા રીતરિવાજને પણ બચાવ થઈ રહ્યો છે ત્યારે જૈન સમાજને કયા જીવડાં કરી રહ્યાં છે, તે બતાવવાની જાહેર હિમ્મત માટે મુનિમહારાજને ધન્યવાદ ઘટે છે. તેમણે આ પુસ્તકમાં લગ્ન-સંસ્થા, સંગઠન, દમ્પતિધર્મ, ગૃહસ્થાશ્રમ, પુનર્લગ્ન, આરોગ્ય અને બ્રહ્મચર્યાશ્રમ, સાધુ-સંસ્થા વગેરે પ્રશ્નોની ઝીણી ચર્ચા કરી તેમાં કયાં સુધારાને સ્થાન છે, તે સૂચવ્યું છે. પુનર્લગ્નને પ્રશ્ન પણ તેમની ચર્ચા બહાર રહ્યા નથી. પણ તેને ઉપાય સૂચવવામાં તેઓ મુંઝાયા હોય તેમ જણાય છે. તેમણે પુનર્લગ્નની તરફેણ તેમજ વિરૂદ્ધની દલીલ રજુ કરી છેવટે જણાવ્યું છે કે “સમાજ હજુ પણ નહિ ચેતે તે તે દહાડે પુનર્લગ્નને રસ્તે ખુલે થવાને સંભવ છે. આજે સમાજને માટે ભાગ, સામાન્ય રીતે જેઓ પુનલગ્નના પક્ષકાર નથી તેવામાં પણ પતિની સંગતમાં નહિ આવેલી એવી કહેવાતી વિધવા બાળાઓને ફરી પરણાવી દેવાની તરફેણમાં છે. હોટા મહટા અનુભવીઓ અને સચ્ચારિત્રશાલી સજજને, વૃદ્ધો અને પ્રજામાન્ય મહાપુરૂષ પણ આમાં સમ્મત છે.” મહારાજશ્રી પોતે પુનર્લગ્નની તરફેણમાં છે કે નહિ તે સમજી શકાતું નથી. પણ છેવટે તેમનાથી પણ એ કહ્યા વિના ચાલ્યું નથી કે “સમાજના સરદારે અને દેશભક્ત યુવકે તથા ધાર્મિક સજજનેનું કત્તવ્ય છે કે તેઓ દયાપાત્ર બહેનોની ખબર યે. દેશસેવા તથા ધર્મોન્નતિનાં કાર્યોમાં એ બહેને પણ પુરૂષવગ એટલે પિતાને ફાળો આપી શકે તેમ છે. તેમનામાં કંઈ ઓછી શક્તિ નથી. તેમની શક્તિઓને ગુંગળાવવામાં કંઈ ફાયદો નથી.” આ પુસ્તક જૈન સમાજ વચ્ચે એટલું લોકપ્રિય થઈ પડયું છે કે ટુંક સમયમાં તેની આ ચોથી આવૃત્તિ કહાડવી પડી છે.
જૈનદર્શન.
આ પુસ્તક પણ મુનિ મહારાજ શ્રીન્યાયવિજયજીએ લખ્યું છે. તેમાં જૈનધર્મનું તત્વજ્ઞાન સમજાવવામાં આવ્યું છે. મહારાજશ્રી પિતે જણાવે છે કે “બીજાના વિચારને પિતાના વિચારોથી વિરૂદ્ધ જતા જે એકદમ ઉશ્કેરાઈ જવું એ માનસિક નિર્બળતા છે.” જૈન સાધુઓ વિરૂદ્ધ પક્ષને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org