________________
* ભિન્ન ભિન્ન દૃષ્ટિ પર ઘડાયલા વસ્તુ જુદા અભિપ્રાય જેને “નય કહેવામાં આવે છે, પિતાના પ્રદેશ પુરતા સત્ય છે. એટલે નયવાદ એ આંશિક, આપિક્ષિક સત્યવાદ છે. જુદા જુદા દૃષ્ટિકોણને અવલબી જુદી જુદી વિચાર સરણીઓ ઘડાય છે. સંસ્કારી દૃષ્ટિ જુદા જુદા વિચારે પાછળ તેના આધારરૂપ જે જુદા જુદા દૃષ્ટિબિન્દુઓ હોય છે તેને તપાસે છે. અને એમ કરી મેળ સાધે છે. નયવાદની સરણી સમન્વય કરવા માગે છે. અપેક્ષા સમજાય તે સમન્વય થાય અને વિખવાદ મટી જાય. નયવાદ વિચાર--ષ્ટિમાં સુન્દર અજન પૂરવાનું કામ કરે છે. એ અંજનથી દષ્ટિનું વૈષમ્ય ટળી જાય છે. આ રીતે નયવાર મનુષ્ય-પ્રજાની દૃષ્ટિને વિશાળ અને હૃદયને ઉદાર બનાવી મિત્રભાવને રસ્તે તેમને સરળ કરી આપે છે. આમ, જીવન કલા શમાવવામાં અને જીવનવિકાસને માર્ગ સરળ કરી આપવામાં નયવાદ સંસ્કારી જીવનનું સમર્થન અંગ છે. એ દૃષ્ટિ-વૈભવ વ્યવહારૂ પણ છે અને આખ્યાત્મિક પણ છે. એને વ્યવહારૂ જગને કુનેહબાજ પણ સમજે અને મેક્ષમાગને પ્રવાસી પણ સમજે. નયવાદના વિમળ જળથી દષ્ટિનું પ્રક્ષાલન થતાં રાગદ્વેષને પ્રચાર બંધ પડી જાય છે. એટલે ચિત્તની શુદ્ધિ થતાં આત્મસમાધિને માગ સુલભ થઇ જાય છે.”
“વિચારોની અથડામણને લીધે ત્યારે પ્રજાનાં માનસ મુખ્ય બને છે અને વાતાવરણ અશાન્ત બને છે ત્યારે તત્ત્વદશીએ પ્રજાની સામે
યાદ્વાદ” નો પ્રકાશ ધરે છે અને વસ્તુસ્થિતિને જુદી જુદી દષ્ટિએ અનેક રીતે તપાસી સમન્વય કરવાને માગ સમજાવે છે. સ્યાદ્વાદને સિદ્ધાન્ત આ રીતે અવકનદષ્ટિને વિશાળ બનાવે છે અને સંકુચિત દૃષ્ટિથી ઉત્પન્ન થનારા કેલાને શમાવે છે. આમ, રાગ-દ્વેષના ભડકા શમાવી જનતામાં મિત્રભાવ રેડવામાં આાવાદની ઉપયોગિતા છે. જૈન ઉપદેશનું રહસ્ય એક જ છે અને તે રાગ-દ્વેષની નિવૃત્તિમાં છે. "
* આ ય આજના જૈન ગુરૂઓના જીવનમાં કેટલું રમી રહ્યું છે ! જે ગુરૂઓનાં પનોતાં પગલાં ઠેર ઠેર ઝઘડાની લ્હાય સળગાવી મૂકે, જેમની કજીઆર મનોદશામાંથી નિકળતાં એકાન્ત-મૂઢ પ્રવચને ભોળી પ્રજાને ઉશકેરી મૂકે અને એવા ભેળાઓને હથિયાર બનાવી જેઓ સામા વગરને ગાળે ભાંડવામાં અને ધર્મમાગના એક પરથીડા ફક્ત પિતાને જ માનવામનાવવામાં અને પિતાને નો વારો વધારવાનું જોર બતાવવામાં બહાદૂરી માને, તેમનાથી અનેકાન્ત--દર્શનને મહિમા પ્રસરવાની આશા શી રીતે રાખી શકાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org