________________
શકિતબાધક ઉર.
કેમ
A
EN.*
lNT
મુનિ શ્રીન્યાયવિજ્યજીએ મુંબઈની એક સભામાં કહ્યું છે તેમ “આપણે આપણી ઉછરતી પ્રજાને માટે હવે શક્તિવર્ધક સંસ્થાઓ સ્થાપવાની જરૂર છે. જે સમાજરૂપી મન્દિર આપણી નિર્માલ્યતા અને કંગાલિયતને લીધે પડું ભલું થઈ રહ્યું છે, તેને ટકાવી રાખવા આપણે બળવાન બનવાની જરૂર છે. જે વખતે જૈન શનિ કરાઈ રહી હોય, ગુલામ બની રહી હોય, તે વખતે શક્તિવર્ધક સંસ્થાઓ ઉભી કરવા માટેનું દાન તે જ હેટુ દાન છે.” વેરાવળના શોચનીય પ્રકરણને આ પહેલે પદાર્થપાઠ છે. પણ એ કરતાંયે વધુ મહત્વનો અને જૈન તેમજ જૈનેતર હિન્દુ સમાજને પણ ગમ્ભીરપણે વિચારવા જેવો પાડ તે આ છે –
તમે સંકુચિત દૃષ્ટિ કહાડી નાખો. જેને તમે ધિક્કારી તમારા સમાજમાંથી બહાર હાંકી કહાડે છે તેઓ જ તમારી સામેની છાવણીમાં જઈ મળી જાય છે અને ગુંડાઓના હાથ મજબૂત બનાવે છે. જે હિન્દુ, સમાજના અત્યાચારને લીધે ધર્માન્તર ગ્રહણ કરે છે તે આપણને વધુ નુકશાન કરે છે. એટલે જ આજે રચનાત્મક કાર્યની વધુ જરૂર છે.” હિન્દુઓની સંખ્યા કયા કારણે ક્ષીણ બને છે અને બીજી તરફ મુસલમાનોની સંખ્યા કઈ રીતે સાત કરોડ સુધી પહોંચે છે તેનું રહસ્ય ઉપલા કથનમાંજ આવી જાય છે.
તા. ૯-૮-૩૧ ના “જૈન” પત્રની સમ્પાદકીય નંધમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org