________________
P
+++
+++
++++
++
+++++++++
+
+++
મનુષ્ય-કર્તવ્ય.
GO
+++++++++
+++
++++
+--++
+++
++++
++++
સારી
' મુંબઈ તા. ર૬-૭-૩૧ ના રોજ મિન્ટરેડ પર આવેલી શ્રી. કેડારીની વાડીમાં શ્રી. માંગરોળ યુવક સંઘના પ્રબન્ધથી ન્યા. ન્યા. શ્રીન્યાયવિજ્યજી મહારાજે “મનુષ્ય-ક વ્ય” પર આપેલું ભાષણ.
[શરૂઆતમાં પી. પી. હાઈસ્કૂલના ધાર્મિક શિક્ષક પંડિત શ્રી. માવજી દામજી શાહે મહારાજસાહેબના જીવન પર પ્રારંભિક વક્તવ્ય રજુ કર્યા પછી શ્રીમતી લીલાવતી મુન્શી સ્વદેશી ભાવના પર બેલ્યાં હતાં. એ પછી મહારાજશ્રીએ પોતાનું વ્યાખ્યાન શરૂ કર્યું હતું, જે તા. ૧-૮-૧ ના મુંબઈ સમાચારમાં પ્રગટ થયેલ, પણ તેનું યોગ્ય પ્રકાશન અહીં કરવામાં આવે છે –]
દુનિયામાં સર્વોત્તમ પ્રાણી મનુષ્ય છે. ઉંચામાં ઉંચું જીવન મનુષ્ય જીવન છે. સ્વર્ગના દેવતાઓ અને ઇન્દ્રો પણ મનુષ્ય જિન્દગીની ઉત્કંઠા ધરાવે છે. આત્મજીવનને પૂર્ણ વિકાસ એક માત્ર મનુષ્યજ સાધી શકે છે. મહેતા મહેટા કષિ-મહાત્માઓ અને તત્વજ્ઞાનીઓ મનુષ્યગતિમાં થાય છે. મેક્ષ મેળવવાને ઈજારે મનુષ્યને છે. મનુષ્ય અનન્ત શક્તિને મહાસાગર છે. અનન્ત જ્ઞાની (Omniscient) એક માત્ર મનુષ્યજ થઈ શકે છે. મહાત્ કર્મભૂમિ અને ગભૂમિ એક માત્ર મનુષ્યક્ષેત્ર છે. પૂર્ણાત્મજીવન નરદેહેજ સધાય છે. આત્મજીવનના પૂર્ણ વિકાસે મનુષ્ય પ્રભુ, પરમાત્મા બને છે. અખિલ વિશ્વ તેને નામે છે. તેની મહાન વાણી પર દુનિયાનાં કલ્યાણકારક ધર્મશાસ્ત્ર સરજાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org