________________
૧૮૮
"तत्त्वतो लिंगस्य आकंचित्करत्वात् न तद्भेदो विदुषां विप्रत्ययहेतु: " અર્થાત્ ખરી રીતે લિગ, વેષ અકિંચિત્કર છે. એમાં કંઈ વજૂદ નથી. એ ચાહે ભિન્ન-ભિન્ન હોય એથી કંઈ એક્ષસાધનમાં વધે આવતું નથી. શું કહ્યું? લિંગ' પર જોર આપનાર અને ક્રિયાદ પર અસહિષ્ણુતા દાખવનાર, મૂળ માગને ભૂલી જાય છે એ વાત ઉપરના વચન પરથી સ્પષ્ટ થાય છે.
કેશી-ગૌતમના આ સંવાદમાં સમય-ધર્માનુજ ચિત્ર દેરાયલું નજરે પડે છે. પછી સમયધર્મ તરફ રોષ કેમ? કપભાળે તે ચોખ્ખું કહે છે કે -
" असढेण समाइण्णं जं कत्थइ केणई असावज ।
न निवारियमन्नेहिं बहुजणमयमेयमायरिअं" ॥
પછી સમયના સંગે જોઇ શાસનહિતની દષ્ટિએ, સમાજ અને ધમને લાભ પહોંચે તે રીતે સામયિક સંસ્કરણ સમાજ કે સંઘ ઘડે તે એમાં આપત્તિ કેમ લાવવી જોઈએ? દેશ, કાળને અનુસરી સાંસારિક તેમજ ધાર્મિક બાબતમાં ફેરફાર થતા આવ્યા છે, થયા કરે છે અને ગ્ય આકારમાં થવા જ જોઈએ. તેમ થાય તે જ સમપ્રદાય કે સમાજ જીવિત રહી શકે નહિ તે ખાચિયામાં પડી રહેલ પાણીની જેમ ગધાઈ ઉઠે. કહેવાઈ જાય. સમયાનુકૂલ યોગ્ય પરિવ7ન કે સંસ્કરણ સમાજ કે સમ્પ્રદાયને
જીવિત રાખવા કે પ્રગતિશીલ બનાવવા માટે બહુ જરૂરી છે. સ્યાદ્વાદ” સિદ્ધાન્તમાં પણ, ભિન્ન ભિન્ન દૃષ્ટિબિન્દુ પર સંગત થતાં પરિવર્તાનને યથાગ સત્કારવાની જ પ્રરૂપણા છે. એકાન્તને “ગ્રહ નભે તે જૈનેતર માનસમાં જૈન જીવનમાં તે તે હેયજ શેને! યોગ્ય સુધારા કાઈના ઘરને માટે કે વ્યક્તિગત નથી, પણ સમાજના કલ્યાણ માટે મૂકાય છે. પછી એની સામે વિકરાળ દૃષ્ટિ કરી વિરોધપૂર્ણ વાતાવરણ ઉડાવવું એ જૈનેચિત આચરણ કેમ ગણાય? જ્યાં દષ્ટિબિન્દુ ઉજવળ છે, ત્યાં પછી કેવળ મદને વશ થઈ, બીજાના વિચારને વખોડી કાઢવા અને સુધારાના રસ્તાને કંટકમય કરી મૂકે એ શિખાચરણ કેમ કહેવાય? સંસ્કારી વિચારે બહાર આવતાં તેના પર સમાજને યોગ્ય વિચાર કરવાની તક આપવી જોઈએ. તે પણ શાન્ત મગજે તેના પર વિવિધ દૃષ્ટિબિન્દુથી અને ઉદાર વૃત્તિથી વિચાર કરે જોઈએ. અને સભ્યતાથી તે પ્રશ્નને છણ -છણાવા દેવો જોઈએ. આમ, સહુથી પહેલાં, કોઈ પણ પ્રશ્ન પર મીમાંસા કેમ કરવી એટલું પણ હાલ સમાજના ગુરુએ સમજે તે સારૂં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org