________________
૧૯૨
ધમધમી રહ્યાં હતાં, તેવે વખતે ભગવાન્ મહાવીરનો પ્રાદુર્ભાવ થાય છે. લગભગ અઢી હજાર વર્ષ ઉપરના એ સમય પાખંડ, અનાચાર, દંભ, સત્તા અને જાતિ-કુલભિમાન-મદોથી એટલા ભરચક હતા કે અશાન્તિનાં ઉગ્ર વાદળામાં ઘેરાયલી તત્કાલીન પ્રજાના ઉદ્ધાર કરવા કાઇ મહાન શક્તિનું અવતરણ થવું સ્વાભાવિક હતું. સ્વર્ગ'-નરકના ઇજારદારો જ્યારે તીનાં ટોળાંની જેમ ધરતી પર ઉભરાઇ નિકળે છે, અધિકારને રાહુ જ્યારે ખુલ્લી રીતે માનવતા પર આક્રમણ કરે છે, પરમ્પરા અને કુલીનતાના જોરે દીન, ગરીબ અને દુલાને દબાવી દેવામાં આવે છે, ત્યારે એ બધા પાખડા, વ્હેમા, ભા, અનીતિએ અને મૂઢ પરમ્પરાઓના માંચડાઓને ફગાવી દેવા અને વિશુદ્ધ સત્યના મહાન્ પ્રકાશ જગત્માં પ્રગટાવી પ્રજાને મંગળ-નાદ સુણાવવા સમર્થ ક્રાન્તિકાર મહાન્ આત્મા પ્રગટ થાય છે. મહાવીરને પ્રાદુર્ભાવ એટલે 'ચીમાં ઉંચી શક્તિનું જગમાં અવતરણ. દુનિયાના દારુણ આત્તનાદે મહાવીરનું અન્તઃકરણ વિરક્ત બને છે, અને તે વિરક્ત અન્તઃકરણ દુઃખની જડ કાપવાના વિચારમાં મશગૂલ અને છે; દુનિયાને કરુણ કોલાહલ કેમ શાન્ત થાય અને જગા જીવાને સુખના અો માર્ગ કેમ સાંપડે એ પ્રકારની ભાવનામાં નિરત અને છે.
મહાન અમૃતમય
દીક્ષાગ્રહણમાં વિવેક,
મહાવીરને એ દૃઢ સકલ્પ છે કે માતાપિતાની હયાતી સુધી દીક્ષા ગ્રહણ ન કરવી. આવે સંકલ્પ તેમણે ગર્ભાવસ્થામાંજ કર્યાં છે. જ્યારે તેમણે ગર્ભાવસ્થામાં પેાતાનાં માતાજીને દુ:ખ ન થાય એટલા માટે પોતાનુ હલન-ચલન અધ કરી દીધું હતું, ત્યારે માતા ‘ ત્રિશલા' દેવીને પેતાના ગર્ભના સબધમાં અનિષ્ટ શ’કા ઉત્પન્ન થતાં પારાવાર સન્તાપ થયા હતા; અને તેની જે ગભીર અસર મહાવીરના વિવેકી હૃદય પર થઇ હતી. તેનુંજ એ પિરણામ છે કે તેમણે માતાપિતા હયાત હોય ત્યાં સુધી સન્યાસને માગ લેવાનુ મુલ્તવી રાખ્યું હતું.
સકલ્પ વખતની મહાવીરની મનેાદશાને ચિતાર આપતાં મહા આચાર્ય હરિભદ્રસૂરિ જે વદે છે તે ખાસ ધ્યાનમાં લેવા દ્વેગ છે. તેઆશ્રી પોતાના ‘ અષ્ટક' માં કહે છે કે—
Jain Education International
" जीवतो गृहवासेऽस्मिन् यावन् मे पितराविमौ । तावदेवाधिवत्स्यामि गृहानहमभीष्टतः " ॥ ૪ ॥
~~~ મારા માતાપિતાની હયાતી સુધી ગૃહવાસમાં રહેવુ. મને અભીષ્ટ છે માટે હું રહીશ. ’
For Private & Personal Use Only
www.jainelibrary.org