SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ જનવિભાગ ૪ જૈન કવિઓ ( લેખક–આચાર્ય શ્રી મુનિ ન્યાયવિજયજી) પ્રસ્તાવના. સુજ્ઞ પ્રમુખ સાહેબ, ભગિનીઓ અને ભાઇઓ, મેં મારા આ નિબંધો સાહિત્ય પરિષદે નક્કી કરેલ નિબંધો પૈકી જેન નિબંધમાંથી જૈનાચાર્યો જેન રાજાઓ જૈન મંત્રીઓ અને જૈન દાનવીરે એ નિબંધ મારા વિષય તરીકે સ્વીકારી તે કામ મારી શક્તિ મુજબ કર્યું છે. જો કે આ કાર્ય મારા જેવા સામાન્ય અભ્યાસ કરતાં કોઈ બીજા વિશેષ અભ્યાસી સહિત્યપ્રેમી મહાશયે બહુ સુંદર રીતે કર્યું હત, તે પણ મહાપુરુષોનાં વચનાનુસાર એ મહાન નિયમને અનુસરી આ પ્રયત્ન કર્યો છે. હવે મેં લીધેલા વિષયમાંથી કેટલીએક મહાન વ્યક્તિઓની ટુંકાણમાં ઓળખાણ કરાવીશ. પ્રાચીન કાળમાં જૈન ધર્મ અને જૈન પ્રજા ભારતવર્ષના દરેક પ્રદેશમાં ઉચ્ચ સ્થાને ભોગવતી હતી. કર્નલ ટોના કથન પ્રમાણે હિંદુસ્થાનના દરેક શહેર પ્રાયઃ જૈન ધનાવ્યોશ્રાવકેથી ગૌરવ ભર્યા શોભી રહ્યાં હતાં. પૂર્વમાં બંગાલ અને એરિસાથી માંડી પશ્ચિમમાં ઠેડ સમુદ્રના કાંઠા સુધી અને ઉત્તરમાં છેક હિમાલયથી માંડી દક્ષિણમાં છેક કન્યાકુમારી સુધી દરેક દેશો અને સુંદર સ્થાન, પવિત્ર જૈન તીર્થો અને ગગનચુમ્બી ભવ્ય મંદિરથી સુશોભિત હતાં. જૈન પ્રજાએ પિતાનાં તીર્થસ્થળો અને ભવ્ય મંદિર બંધાવવામાં જે અગણિત દ્રવ્યનો વ્યય કર્યો છે તેને નમુને હિંદુસ્થાનના ઈતિહાસમાં મળવો મુશ્કેલ છે બલ્ક અલભ્ય છે. જૈનાચાર્યોના ઉપદેશથી જેવાં ભવ્ય આદર્શ સ્થાન ધનાઢય ધર્મપ્રેમી જૈન ગ્રહએ બંધાવ્યાં છે તેવાં ભવ્ય આદર્શ સ્થળે હિં દુરથાનના મોટા મોટા રાજા મહારાજાઓ પણ નથી કરાવી શક્યા એમ કહેવામાં કંઈ અતિશયોક્તિ નથી. પ્રથમ નાચાર્યોએ ભારતવર્ષમાં જે અગણિત ઉપકાર કર્યો છે તેની નાની આ સમય નથી. જૈનાચાર્યોએ ભારતવર્ષના દરેક પ્રદેશોમાં વિચરી આપણે ધર્મનું મૂલ-શ્રદ્ધાને ટકાવી રાખવાનું સતત કામ કર્યું છે. તેઓએ નિસ્પૃહપણે ઉધાડે માથે અને ઉઘાડે પગે ભારતવર્ષના શહેરે શહેર અને ગામે ગામડામાં વિચરી અનેક મનુષ્યોને ન્યાય અને નીતિના સુંદર ઉપદેશો પિતાની મનોહર વાણીમાં આપ્યા છે-હતા. તેઓના ઉપદેશમાં ભારતવર્ષના અન્ય સાધુમહાત્માની પે ભીક્ષા સિવાય કોઈ પણ જાતની પૃહા-ઈચ્છા કર્યા સિવાય પિતાના ઉચ્ચ ચારિત્ર દ્વારા અનેક મનુષ્યોને ઉત્તમ ચારિત્રવાન કયાં છે. ભારતવર્ષને ઉન્નત બનાવવામાં જૈનાચાર્યોએ અથાગ પ્રયત્ન સેવ્યો છે. જેવી રીતે હિંદુથાનને ધર્મપ્રેમી અને દયા દેવીના પરમ ભક્ત બનાવવામાં તેમને મુખ્ય હિરો છે તેવીજ રીતે સંસ્કૃત, પ્રાર, આગધી, સૌરોની, પિશાચ, અપભ્રંશ, ગુજરાતી આદિ બાવા સહિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy