SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ કવિવર સમયસુન્દર ૧૪૭ કેટલાક એમ માનતા હતા અને માને છે કે ગૂજરાતીમાં વાર્તાઓ લખનાર મૂળ કવિ શામળભટ્ટ આદિ છે; પરંતુ તેમની પહેલાંના જૈન રાસાએમાંથી અનેક રાસાએ વાર્તા રૂપે બનાવેલા મળી આવે છેઃ ઉપર એ વાત કર્તા અને તેમની કૃતિઓને નામ નિર્દેશ કરી જણાવી છે; તે પરથી શામળભટ્ટને વાર્તામેના આદિરચયિતા નહિ કહી શકાય. વિશેષમાં એ પણ સંભવ છે કે ૧૮ મા શતકમાં થયેલા શામળભટ્ટે પેાતાની વાર્તાઓનાં મૂળ–વસ્તુ પણ પ્રાચીન જૈન કવિએના વાર્તારૂપે લખાયેલ રાસામે પરથી પ્રાયઃ લાધેલાં હાય. સ૦ ૧૫૭ર માં સિંહકુશલે નર્દબત્રીશી રચી છે કે જે ટુંકી છે, તેની સાથે સરખાવે! શામળભટ્ટની નંદબત્રીશીકે જે વિસ્તારવાળી થયેલી છે. ઉપરાંકત કુશલલાભની ભાધવાનળ અને કાકુંડલાની કથા સાથે સરખાવે! શામળભટ્ટે રચેલી ખત્રીશ પુતળીની વાર્તામાંની ૨૬ મી માધવાનળની વાર્તા, કે જે કેટલીક ઘેાડી બાબતમાં જૂદી પડે છે; પણ તે શામળભટ્ટની કથા બહુ સંક્ષેપમાં છે અને ઝાઝા માલ વગરની છે.૮ તેમ વૈતાળ પચીસી, સિંહાસન બત્રીશી, સુડાબહેાતેરી વગેરે જેવી કૃતિઓ સાથે શામળભટ્ટની તે નામની કૃતિ સરખાવી શકાય. વખતે જૈન વિએએ જેમ લેાકમાં પ્રચલિત કથાએતેએકત્રિત આકારમાં ગોઠવી સંગ્રહ કરી યા કોઇ અન્ય ભાષાના ગ્રંથામાંથી સ્વ ભાષામાં ઉતારી હાય, તેવી રીતે શામળભટ્ટે પણ કર્યું હાય. લોકકથાના સાગર રૂપ કથાસરિત્સાગર, ક્ષેમ કર કૃત સિંહાસન દ્વાત્રિશિકા અને સંસ્કૃત વેતાલ પંચવિતિ જૂની-પ્રાચીન કૃતિ છે. કેટલાક એમ કહેતા હાય કે જૈન સાધુએ શૃંગારરસથી યુક્ત કાવ્યને તે રચે યા ચવાના દાવા કરે તો તે જૈન ધર્મના દીક્ષિત યતિજ ન કહેવાય તે આના ઉત્તરમાં જણાવવાનું કે ઉપરેક્ત કુશલલાભની માધવાનળની કથા શૃંગારરસથી ભરેલી ઉત્તમપ્રતિની વાર્તા છે, એ રા. હરગોવિન્દદાસ કાંટાવાળાએ સ્વીકાર્યું છે. જૈન કવિએ અલબત ઉધાડે। અમદિત શૃંગાર નહિ મૂકે, કે જેથી જેમ શામળભટ્ટને માટે નર્મદ કવિને કહેવું પડયું કે: 6 શામળબટ્ટે કેટલીક વાર્તાએ ન લખી હોત તો સારૂં ' તેમ જૈન કવિ માટે કહેવું નહિં જ પડે. વિશેષમાં જૈન સાધુએ જેમ અમુક સદ્ગુણનું પ્રતિપાદન કરે છે, તેમ આ (6 ( માધવાનળની કથાના ) ગ્રંથમાં શીળનેા મહિમા બતાવ્યા છે, એટલે તે બાબતમાં તે (જૈન કવિ) શામળભટ્ટ કરતાં ચઢે છે......આ કૃતિ શામળભટ્ટની પૂર્વેના શતકમાં રાખું હતી. ” ( રા. હરાવિન્દદાસ કાંટાવાળા ) , આ કથા તેમ જ મારૂ ઢાલાની અને જેસલમેરમાં ત્યાંના મહારાજા રાવળ માલદેવજીના પાટવી કુમાર શ્રી હરરાજજી ( કે જેમણે વિ॰ સ૦ ૧૬૧૮ થી ૧૬૩૪ સુધી જેસલમેરનું રાજ્ય કર્યું ) ના કુલ અને વિનેાદ અર્થે બનાવેલ છે. મારૂઢાલાની ચેાપાઇ સબંધી એવી વાત છે ? હરરાજજીએ સ૦ ૧૬૧૭ માં અક્ષરનું સ્વામીત્વ સ્વીકારી ૮ સ્વ. ચિમનલાલે ડાહ્યાભાઇ દલાલને માધવાનળ કાંમકુંડલાની લેાક કથાપર સાહિત્ય’ માં આવેલ લેખ. ૯ લખપતિ શૃંગાર એ મથાળાના લેખ. ૨૧. વિ જીવરામ અજરામર ગાર. ગુજ શતી દીવાળી અંક સ ૧૯૬૭, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy