SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ જૈનવિભાગ નેંધ કરી છે કે પાંચસે છાસઠ ટુંકનો આ પ્રબંધ છે. દરેક રીતે તે શામળભટની વાત સાથે હરીફાઈ કરે તેવો છે. આ પ્રબંધની રચના કેઈ પણ રીતે શામળભટ્ટની વાતોથી ઉતરતા પ્રકારની નથી'; ત્યારપછી કુશલલાભે સં. ૧૬૧૬માં માધવ-કામકંડલા પર રાસ, અને સં. ૧૬૧૭ માં ભાલા પર ચોપાઈ દેવશીલે સં. ૧૬૧૯ માં વેતાલ પચવીશી અને હેમાનંદે તે જ નામને ગ્રંથ સં. ૧૬૪૬ માં; ગુણમેસૂરિશિષ્ય રત્નસુંદર ઉપાધ્યાયે પંચપાખ્યાન (પંચતંત્ર) ચતુપદી સં. ૧૬૨૨ માં સાણંદમાં અને શુકબહેતરી ઉર્ફે રસમંજરી સં. ૧૬૦૮ માં ખંભાતમાં, દેવચ્છરાજે નીતિશાસ્ત્ર પંચાખ્યાન (પંચતંત્ર) ચેપઈ સં. ૧૬૪૮ માં; આહીરકલશે સિંહાસનબત્રીશી સં. ૧૬૩૬ માં મંગલ માણેક વિક્રમાદિત્ય અને ખાપરા ચેરનો રાસ સં. ૧૬૩૮ માં નરપતિ કવિએ વિક્રમાદિત્ય ચેપઈ સં. ૧૬૪૮ માં અને નંદબત્રીશી; હેમરને ગોરાવાદલ પદમણી કથા એપાઈ સં૦ ૧૬૬૦ માં: સારંગે ભેજપ્રબંધ પાઇ સં. ૧૬૫૧ માં; અને બિલ્ડિણ પંચાશિકા; અને કનકસુંદરે સં. ૧૬૬૭ માં સગાળશા રાસ; એમ અનેક કવિઓએ અનેક કૃતિઓ રચી છે. જનેતરમાં માત્ર એકાદ જેમકે સં. ૧૫૭૪ માં આમ્રપદ (આમેદ)ના કાયસ્થ કવિ નરસાસુત ગણપતિએ માધવાનળની કથા ગુજરાતીમાં બનાવેલી લોકકથી મળી આવી છે અને શોધ કરતાં બીજી પણ થોડી ઘણું મળી આવે. જો કે સત્તરમા શતકના ઘણાખરા મળેલા ગ્રંથ ધાર્મિક છે, પણ તેમાં આ લેકકથાના ગ્રંથ મળવાથી તેમાંથી લૌકિક બાબતે ઘણી પ્રાપ્ત થઇ શકે તેમ છે. - ૨ કુશલલાભ-ખરતર ગચ્છના અભયધર્મ ઉપાધ્યાયના શિષ્ય. તેમણે ઉક્ત બે કથાઓ ઉપરાંત તેજસાર રાસ, વિરમગામમાં સં. ૧૬૨૪ માં અગાદત્તરાસ, નવકાર છંદ, ગેડી પાર્શ્વનાથ જીંદાદિ રચેલ છે. ૩ દેવશીલ-તપાગચ્છના સૌભાગ્યસુરિ શિ૦ સેમવિમલસૂરિ શિવ લક્ષ્મીભદ્ર શિ. ઉદયશીલ શિ. ચારિત્રશીલ શિ૦ મેદશીલના શિષ્ય. તેની આ કૃતિ રે. જગજીવનદાસ દયાલજી મોદીએ વડોદરામાં પ્રસિદ્ધ કરી છે ૪ વચ્છરાજ-પાર્ધચંદ્રસુરિસમરચંદરિ-રત્નચારિત્ર શિવ તેની અન્ય કૃતિઓ સં. ૧૬૪૨ માં ખંભાતમાં શાંતિનાથ ચરિત્ર. ૫ હીરકલશ-ખરતર દેવતિલક શિ. હર્ષપ્રભ શિ૦ અન્યકૃતિઓ રમ્યકત્વ કૌમુદી સં. ૧૬૨૪, કુમતિ વિધ્વંસ ચોપાઈ સં. ૧૬૦૭. ૬ મંગલ માણેક-આંચલિક ગ9ના બિડાલંબ ગચ્છ, મુનિરત્નસૂરિ આનંદરસૂરિ જ્ઞાનર ઉદયસાગર-ભાનુભટ્ટ શિ૦ તેણે વિશેષમાં અખંડ કથાનક ચોપાઈ સં. ૧૬૩૮ જેઠ શુદ ૧૫ ગુએ શરૂ કરી સં. ૧૬૩૮ માં કાર્તિક સુદ ૧૩ ઉજેણીમાં નિઝામનાં રાજ્યમાં પૂરી કરી છે. ૭ હેમરત્ન-પૌમિક ગચ્છ દેવતિક સુરિ-જ્ઞાનતિલકરિ-પદ્યરાજ ગણિ શિષ્ય. અન્ય કૃતિ શીલવતી કથા સં. ૧૬૭૩ પાલીમાં બનાવી. આ બધા જન વિતામ્બર સાધુઓ છે. ગુજરાતના વેતામ્બર સાધુઓએ કથાસાહિત્ય માટે કેવી સેવા બજાવી છે તે માટે જમન ડૉકટર હલકૃત “ અન ધી લિટરેચર ફ ધી ભવેતાંબરમ્ ઍક ગુજરા.” એ નામનું ચોપાનીયું અવલેકવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy