SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ જેન સાહિત્યની હિતાવહ દિશા. (૧૩) કોલ્હાન તથા ડો. ગેરીને વિગેરે વિદ્વાનોએ જૈનસાહિત્યના સંશોધનને લગતા જે રીપેર્ટો બહાર પાડ્યા છે તે જૈનનું ઐતિહાસિક સાહિત્ય કેટલું અગાધ છે તેને અચો ખ્યાલ આપે છે. જેમને બહુ અવકાશ ન હોય તેઓ આ રીપોર્ટી જોઈ જવાની તકલીફ લેશે તે પણ તેમાંથી તેમને ઘણું નવું જાણવાનું મળી આવશે. તેમાં મૂળ ગ્રંથ, ગ્રંથને વિષય, ગ્રંથનું પ્રમાણ, ગ્રંથની શૈલી અને ભાષા તથા છેવટે ગ્રંથની પ્રશસ્તિઓ પણ આપવામાં આવી છે. તે પરથી ગ્રંથ રચાયાના કાળની તથા ગ્રંથકર્તાની તેમજ તેમના પૂર્વ પુરૂષની પણ સંક્ષિપ્ત માહિતી મળી રહે છે. જેનગુરૂઓની પાવલી કે જે લગભગ છેલ્લા અઢી હજાર વર્ષની મળે છે તે પણ ઇતિહાસપ્રેમીઓને માટે એક અગત્યનું સાધન છે. પુસ્તક ભંડાર–પાટણમાં છેપ્રાચીન ગ્રંથ ભંડાર છે, અમદાવાદમાં બે, જેસલમીર, ખંભાત, લીંબડી, કચ્છનું કાશીરૂપ કેડાય વિગેરે સ્થળે એક એક અને મુંબઈમાં દશા ઓશવાળનો તથા દિગબર બંધુઓને મળી છે, તેમજ (પુના) ડકનકેલેજમાં રાધનપુરમાં અને જામનગરમાં જુનાં જૈન ગ્રંથના ભંડાર છે. લિપિ કૈશલ્ય–જુના જૈન સાહિત્યનું લિપિકેશલ્ય પણ જરા મેહ પમાડે તેવું છે. લહિયાઓએ એ સાહિત્ય તાડપત્રો પર, દેશી કાગળ પર, તેમજ શીલાલેખ ઉપર ઉતારવાના યત્ન ક્યાં છે. કેઈ કઈ પ્રાચીન પ્રતમાં છાપખાનાના અક્ષરોને પણ મહાત કરે એવા સુંદર અને સોનેરી-રૂપેરી શાહીથી લખાયેલા લેખો મળી આવે છે. પ્રસંગને છાજતા પ્રાસંગિક ચિત્રો પણ તે કાળની ચિત્રકળાનું દર્શન કરાવે છે. પુસ્તક પ્રસિદ્ધિ છેલા એક બે દશકામાં જેન આચાર્યોએ તથા તેમના શિષ્ય પરિવારે જૈન સાહિત્યને ઉદ્ધાર કરવા જે કમ્મર કસી છે તેને હું અત્રે આનંદપૂર્ણ ચિત્તે ઉલ્લેખ કર્યા વિના રહી શકતે નથી. તે સિવાય જૈન ધર્મ પ્રસારક સભા, આત્માનંદ સભા, વિદ્યા પ્રસારક વર્ગ, અમદાવાદની વિદ્યાશાળા, શ્રી દેવચંદ લાલભાઈનું પ્રકાશન મંદિર, પરમકૃત પ્રભાવક મંડળ, આરાનું સેંટ્રલ પબ્લીશીંગ હાઉસ, પં. હિરાલાલ હંસરાજનું જૈન ભાસ્કર ગ્રંથ પ્રસિદ્ધિ ખાતું, આગ્રાની આત્માનંદ સભા, આગમેદય સમિતિ અને શા. ભીમસિંહ માણેક વિગેરેએ એ દિશામાં ઘણા આવકારદાયક પ્રયાસ કર્યા છે. એ સંસ્થાઓના પ્રતાપે જૈન ગ્રંથ ગુહાઓને છેડી પુસ્તકાલયમાં અને જ્ઞાનમંદિરોમાં અધિષત થઈ પિતાનું મંગળ દર્શન આપી રહ્યાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy