SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) શ્રીયુત પંડિત લાલનનું ભાષણ. આવે તો પણું પૂરું ન થાય. હું માત્ર લોકપ્રકાશ તરફ જ આપની દ્રષ્ટિ આકર્ષ" , આપને લાગશે કે Encyclopaedia નો વિચાર એક કાળે પૂર્વાચાને જરૂર હોવો જોઈએ. શ્રી હેમાચાર્ય–જન સાહિત્યમાં ચક્રવર્તી સમા પ્રભાવશાલી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના અસાધારણ સામર્થ્ય અને પ્રતિભા વિષે આપે અવશ્ય કંઈક સાંભળ્યું હશે. એમ કહેવામાં આવે છે કે એ એકજ આચાર્યું સાડાત્રણ કરોડ જેટલી કલેક સંખ્યા જૈન પ્રવચન માતાના ચરણકમળમાં ધરી દીધી છે. સાહિત્ય, વિજ્ઞાન, દર્શન, ઇતિહાસ, ભૂગોળ, જ્યોતિષ કે રાજનીતિને એવો એક પણ વિષય નથી કે જેને શ્રી હેમચંદ્રાચાર્યું ન વિસાવ્યું હોય. ડે. કીલોર્નના લખવા પ્રમાણે તેમને અષ્ટાધ્યાયી” નામને વ્યાકરણ ગ્રંથ પાણિનીની “અષ્ટાધ્યાયી ' સાથે સ્પર્ધા કરે છે. { જુઓ, જર્મનીનું એારીઅન્ટલ રીવ્યુ. ) તેમના અભિધાન ચિંતામણિ અને દેશી નામમાળા વિગેરે કે, તેમની છંદશાસ્ત્ર અને અલંકારશાસ્ત્ર વિષેની રચનાઓ, તેમનું ત્રિપછી શલાકાપુરૂષ ચરિત્ર, તેમના ન્યાયશાસ, જ્યોતિષશાસ્ત્ર, તકશાસ્ત્ર, ધર્મશાસ, અહંન્નીતિ જેવા કાયદા શાસ્ત્ર વિગેરે વિષયના ગ્રંથ તરફ આપની સની દ્રષ્ટિ આકર્ષ છું. કેગના વિષય ઉપરનું તેમનું યોગશાસ, વાદના વિષય ઉપરનું વાદશાસ્ત્ર, ભક્તિભાવભર્યા તેમનાં સંસ્કૃત સ્તોત્રો અને પાણિની મુનિની જેમ ધાતુપાઠ, ગણપાઠ, લિંગાનુશાસન, ઉણાદિપાઠ વિગેરે ગ્રંથે પણ વિદ્વજનને આશ્ચર્ય પમાડે એવાં છે. દ્વાશ્રય નામનું તેમનું એક કાવ્ય ગુજરાતની ઐતિહાસિક સામગ્રી ગણાય છે. એ કાવ્ય ભટ્ટકાવ્યની સ્પર્ધા કરે છે. તેને એક અર્થ ગુજરાતના મહારાજા સિદ્ધરાજને લાગુ પડે છે અને બીજો અર્થ પોતે રચેલી વ્યાકરણ વિષયક અષ્ટાધ્યાયીને લાગુ પડે છે. ભાષા–જેન લેખકોએ કેવળ સંસ્કૃત કે પ્રાકૃત સાહિત્યજ નથી ખેડ્યું, પણ માગધી, અર્ધમાગધી, અપભ્રંશ, જુની મહારાષ્ટ્રીય ભાષા, હિંદી, જુની ગુજરાતી અને પશીયન ભાષામાં પણ પિતાનું સાહિત્ય લખ્યું છે. તામીલ અને કાનડી ભાષામાં દિગંબર જૈન સાહિત્ય પ્રચૂર પ્રમાણમાં મળી આવે છે એમ બ્રીટીશ મ્યુઝીયમના એરીયંટલ ડીપાર્ટમેંટના લાઇબ્રેરીયન ડો. બાને મને કહ્યું હતું. આ ભાષામાં પ્રાથને પરિચય અંગ્રેજી જેન ગેઝેટ દ્વારા તેના વાચકેને થયે હશે. ઈતિહાસ–ડેવ ભંડારકર, કે. પીટરસન, મેકેજી, બરકેલિબૂક, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy