SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્દ દેવચંદ્રજી ૧૩૭ વ્યાખ્યાન પૂર્ણ થયા બાદ ક્યાં જ તે કઈ જાણી કે જોઈ શકતું નહતું. એક વખતે રાત્રે તે બ્રાહ્મણ ઉપાશ્રયમાં આવ્યો ને શ્રીમને વંદના કરી છે. તે વખતે અન્ય સાધુઓ પણ જાગતા હતા. વૃદ્ધ બ્રાહ્મણે જણાવ્યું કે “ હું ધરણેન્દ્ર છું, તમારી આત્મસ્વરૂપની દેશના મહે ચાર માસ સુધી સાંભળી છે. આ વખતે ભરત ક્ષેત્રમાં તીર્થંકરની પેઠે આત્મરવરૂપની વ્યાખ્યા તમે કરો છો તેથી હું ઘણે પ્રસન્ન થયો છું. ઘરણેન્દ્ર શ્રીમદુને કાંઈક માગવાનું કહેતાં શ્રીમદે અનંત દુઃખનો નાશ કરનાર અને સુખને પ્રકટાવનાર આત્માના શુદ્ધોપયોગ વિના અન્ય વસ્તુની ચાહના રહી નથી એમ સ્પષ્ટ જણાવ્યું. આ સાંભળી ઘરણેન્ટે તેમને ધન્યવાદ આપ્યો. ઘરણેન્દ્ર સર્વ સાધુને પોતાની પ્રતીતિ થવા માટે એકદમ ઉત્તર ક્રિય શરીર પ્રકટ કરી બતાવતાં સર્વની આંખો અંજાઈ ગઈ. આથી સાધુઓને શ્રીમદ્ મહા પુરુષ છે અને તેમનાં વચન આરાધ્ય છે એ નિશ્ચય થયા. મહાભાઓ દેવતાઓને આરાધતા નથી પણ તેમના જ્ઞાન-ગુણથી ખેંચાઈ તેઓ સ્વયં તેમની પાસે આવે છે. આધ્યાત્મજ્ઞાની મહાભાઓમાં અનેક પ્રકારની લબ્ધિઓ (સિદ્ધિઓ) પ્રકટે છે તેમાં કાંઈ આશ્ચર્ય સરખું નથી. શ્રીમદ્દ એક વખત પંજાબ તરફ વિહાર કરતા હતા. પર્વતની પાસે થઈને જવાને રસ્ત હતે. પર્વતની નીચે એક સિંહ બેઠેલ હતા, ને ઘણી શ્રીમદને શાંત થઈ પગે વખત ત્યાંથી પસાર થનાર પ્રવાસીઓને તે ખાઈ જતું. લાગેલે સિંહ, શ્રીમદ્ ત્યાંથી જવા લાગ્યા ત્યારે ઘણા લોકોએ તેમને ત્યાં થઈને જવા ના કહી, પણ તેઓશ્રી પાછા વળ્યા નહિ અને જણાવ્યું કે “મારે સમસ્ત વિશ્વના પ્રાણી માત્ર ઉપર મત્રીભાવ છે, માટે ભય શો?” તેઓ તત્પશ્ચાત જ્યાં સિંહ બેઠે હતો ત્યાં થઈને જવા લાગ્યા. આ વખતે આ પ્રસંગ જોઈ ઘણું ગૃહર પણ સાથે જ રહ્યા હતા. પેલા સિંહ પાસે શ્રીમાન આવી પહોંચ્યા ને તેમને જોઇ સિંહ બરાડી ઉઠો અને શ્રીમદ્ભી પાસે આવી તેમના પગે પડી સામે ઉભો રહ્યો. શ્રીમદે તેને કરણદાષ્ટએ શાંત કર્યો, તે પછી તે ચાલ્યા ગયા. પાછળ આવનાર ગુડ આ દશ્ય જોઈ આશ્ચર્યચક્તિ થઈ ગયા. મર્દિના ધર્મ પ્રતિક તત્સન્નિ વિરાજઃ આ મહાન સૂત્ર સત્ય થયું અને ખરેખર જ મહાનુભાવના વૈર રહિત અને વિરક્ત પણ કરુણથી ભરેલા હૃદયની છાપ તેમના પ્રશાંત મુખ પર છવાય છે ને સાત્વિક ભાવ ભર્યા મહાત્માઓની સાત્વિકતા–પવિત્રતાની પાસે આસુરી ભાવવાળાં પ્રાણીઓ પણ સાત્વિક બની શાંત થઈ જાય છે જ. પૂર્વે જામનગરમાં મુસલમાનોનું જોર ઘણું વધી ગયું હતું અને તેથી ત્યાંના એક જૈન દેરાસરનું ભોંયરું ખોલી તેમાં તમામ પ્રતિમાઓ ભંડારવામાં જામનગર જૈન દેરાસ- આવી હતી. મુસલમાનોએ જબરીથી તે દેરાસર કબજો લઈ રનાં તાળા તુટયાં. મસીદ તરીકે તેને ઉપયોગ કરવા માંડયો હતો. કેટલોક વખત વીત્યે મુસલમાનેનું જોર ઘટયે, અને હિન્દુ રાજ અમલમાં જૈનાએ આ મંદિરને કબજો મેળવવા રાજા પ્રત્યે ફરિયાદ કરતાં કાંઈ ન વળ્યું. બાહ્યથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy