SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ જૈનવિભાગ પ્રબંધ તરીકે રચ્યું હોય તેમ અદ્યાપિ નિર્ણય થયો નથી. જૈન દર્શનના મહાત્માઓ પિતાનું ચરિત્ર પિતાની મેળે, આમ પ્રશંસાદિ કારણે, નહિં લખવાની પ્રણાલિકાના કારણે, તેઓના જીવનની હકીકત, તેમના શ્રીમુખથી વા લેખિનીથી કર્થ પ્રકટી શકે? જે તેઓ આચાર્ય પરંપરાની પાટ ઉપર થયા હોત, તો કેટલીક હકીક્ત, પટ્ટ પરંપરામાં થનારા, આચાર્યોની પેઠે જાણું શકાત વા તેમના શિષ્યો જ્ઞાની થયા હોત, તો તેઓએ પિતાના ગુરુનું જીવનચરિત્ર આલેખ્યું હેત જ. પણ તેમ બન્યું નથી. પૂર્વાચાયોની પાછળ થનાર તેમના શિષ્યો વા તેમના ગુણાનુરાગીઓ, પૂર્વાચાર્યોનું ઐતિહાસિક મુદ્દા આદિથી મિશ્ર જીવનચરિત્ર લખી શકે છે પણ અસલીયાતમાં અને કૃત્રિમતામાં ભેદભાવ પ્રકટ જ રહે છે. શ્રીમદ્ભા બનાવેલા અનેક અમૂલ્ય સંસ્કૃત પ્રાકૃત તથા ગુર્જર ભાષાના ગ્રંથોની પ્રશસ્તિઓ પરથી શ્રીમનું કેટલુંક જીવનચરિત્ર જાણી શકાય તેમ છે, અને તે પરથી તેમના હૃદય વિચારના અવલોકન દ્વારા, આચારાદિ બાહ્ય ચરિત્ર, અંતરંગ સ્થિતિ, અધ્યાત્મજ્ઞાનમસ્ત દશા ઉચ્ચ વિવ-વક્તત્વ-લેખનશક્તિ અને તે પ્રસંગના કેટલાક બનાવોને આલેખી શકાય. પણ તેમ કરવા માટે તેમના ગ્રંથનું પૂર્ણતયા સતત પરિશીલન થવું જોઈએ. શ્રીમદના સંસ્કૃત પ્રાકૃત-વ્રજ-માગધી અને ગુજર ભાષાના ગ્રંથની હસ્તલિખિત દુમિળ પ્ર મેળવવા પ્રયાસ, પ્રાતઃસ્મરણીય-અધ્યાત્મજ્ઞાનીજીવનચરિત્ર માટે પત્ર વિવાન કવિરત્ન શ્રીમદ્ આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી સુરીશ્વરજી વ્યવહાર અને શેધ એમના સદુપદેશથી, મારા અધ્યાત્મજ્ઞાનરસિક પૂજ્ય પિતાશ્રી ખેાળ વકીલ મેહનલાલ હિમચંદ એમણે જાહેરખબરે વડે, તથા, મારવાડ, મેવાડ, જોધપૂર, બીકાનેર, જેસલમેર, કલકત્તા, અમદાવાદ, સુરત, ભરૂચ, આદિ દૂર દૂરના પ્રદેશોમાં માણસે મોકલી–પત્રવ્યવહાર કરી–ને ક્યાંક ક્યાંક જાતે જઈ, દ્રવ્ય વ્યયથી, લાગવગથી, ઘણું મુશ્કેલીઓ દીર્ધ સમય પ્રયત્ન કરી, મેટ સંગ્રહ મેળવ્યો. જૂદા જૂદા ભંડારમાંથી એકજ ગ્રંથની ભિન્ન ભિન્ન પ્રતે મેળવી, તે શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજ પાસે સંશોધિત કરાવી, પિતાના અધ્યાત્મજ્ઞાનરસિક સહાધ્યાથીઓ સાથે છપાવવાનો પ્રબંધ કરી છપાવી, જે પરથી શ્રીમનું જીવનચરિત્ર તૈયાર કરવા મને સારી અનુકૂળતા મળી ગઈ. કેટલાક વૃદ્ધ પુરુષોના કહેવા પ્રમાણે શ્રીમની જન્મભૂમિ ગુજરાષ્ટ્ર (ગુર્જરત્રા) છે એમ જણાય છે. કારણ શ્રીમદ્દની સૌથી પ્રથમ કૃતિ સં. ૧૭૪૭ શ્રીમદની જન્મભૂમિ. ની સાલમાં બનેલી અષ્ટપ્રકારી અને એકવીસ પ્રકારી પૂજા એમાં તે વખતની ઘરગત ગુર્જર ભાષા વપરાયેલી જણાય છે. ગુજ૨ સિવાય અન્યદેશીય ગુજરાતી ભાષા શરૂઆતના ગ્રંથમાં આટલી સુંદર અને પૂણાશે ન હોય. ગુર્જર ભાષાના સાક્ષરે જે તે લક્ષ દઈને વાંચશે તે શ્રીમની શરૂઆતની કતિઓની ભાષામાં છંટાઈ રહેલી ઘરગત ગુર્જર ભાષાની છાંટ જણાઈ આવ્યા સિવાય રહેશે નહીં. શ્રીમદની ૨૧ પ્રકારી પૂજામાંની ૧૭ મી પૂજાની ભાષા જુઓ – ભંભા ભેરી મૃદંગ વર, તંત્રી તાલ કટુતાલ ! બલૂરિ દુદુહિ શેખ ઈતિ, વાજિત્ર પૂજ વિશાલ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy