SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) શ્રીયુત પડિત લાલનનું ભાષણ. કર્મવાદ અથવા આત્મબળને જ સિદ્ધાંત પ્રરૂપવામાં આવ્યું છે. આ પ્રકારનું કથા સાહિત્ય તેમજ તાત્વિક સાહિત્ય તો સંપૂર્ણપણે બહાર આવે અને તેને પૂરેપૂરે પ્રચાર થાય તે જનતાને કેટલું લાભ થાય ? અહિંસા પ્રભાવ–આત્મબળની જેમ અહિંસાના સિદ્ધાંતને પણ જેનેએ કે અપનાવ્યો છે તે વાત હવે ગુજરાતની પ્રજાને નવેસરથી કહેવાની કંઈ જરૂર ન હોય. જીવવું ને જીવવા દેવું, મરવું પણ મારવું નહીં એ અમારી મૂળ ભાવના છે. પ્રત્યેક જીવની સાથે દર્શનાપગે અભેદ અને જ્ઞાનેપગે સમભાવ-પહેલાથી એકતા અને બીજાથી વિધવિધ પણ સમતા, એમ જનધર્મના સિદ્ધાંત ઠામ ઠામ ઉપદેશી રહ્યાં છે. જૈનસાહિત્યરૂપી સમુદ્રમાંથી નિરંતર “બાળ ને જ ગંભીર નાદ નીકળી રહ્યો છે. ધર્મના નામે યજ્ઞમાં થતી પશુહિંસા અને તેને જેવો હિંસા ન મારિ-વેદમાં ઉપદેશાયેલી હિંસા એ હિંસા જ ન કહેવાય એવું થતું બચાવ હવે હિંદુસમાજમાં ઘણા છેડાજમાનતા હશે. કળિકાળમાં હિંસાવાળા ય બંધ કરવા જોઇએ-વસ્ત્રૌ ચ નિવેષત, એવા જે વચનો જેનેતર ગ્રંથમાંથી મળી આવે છે તે જૈન સાહિત્યમાં પ્રરૂપાયેલ અહિંસા અને જૈનજીવનમાં ઉતરેલી આચરણાને જ પ્રભાવ છે. એ વાત હવે સે કઈ સ્વીકારે છે. એ રીતે એક તરફ પશુહિંસા સામે અને બીજી તરફ અધ:પાત પામેલા વાતંત્ર સામે જૈનસાહિત્યને યુદ્ધ કરવાં પડ્યાં છે. અમારા પૂર્વજોએ પિતાના સુંદર ચારિત્ર્યની રાજા-મહારાજાઓ અને સામાન્ય જનતા ઉપર પણ એટલી સરસ રીતે છાપ પાડી હતી કે આજે અમે જેને મહાજનના ગૌરવભર્યા નામથી ઓળખાઈએ છીએ. દયા અને પ્રાણુસેવા એ અમારો વારસો લેખાય છે. અને એ વારસે સાવ નિષ્ફળ ગયો છે એમ પણ શી રીતે કહેવાય ? અમારે અહિંસાવાદના પ્રતાપે જેનેપ્રજામાંથી કઈ ખુની તે ભાગ્યે જ જડે, માંસાહારી કે શીકારી કેઈ જેન હેઈ જ ન શકે. કેદખાનાના સરકારી રીપાર્ટીના આધારે પણ ફોજદારી ગુન્હાનું પ્રમાણુ બીજી સમાજે કરતાં જેનસમાજમાં અત્યંત હાનું હોય છે. એમ છતાં હિંસાથી રંગાયેલાં રેશમી વસ્ત્રો અને સંચામાં બનેલાં કપડાં વાપરવાને રીવાજ જેનસમાજમાં વધી પડ્યો એ દુર્ભાગ્યની વાત છે. ૧ માદા નો પાઠ-જપ કરનાર પાછળથી બ્રાહ્મણો ગણાયા એવી એક વિચાર પ્રણાલી છે. બ્રાહ્મણ અને જેને વચ્ચે વિચારભેદ હેવા છતાં, સદ્દભાગે એવો સુસંપ સ્થપાયો છે કે હાલમાં જેના મંદિરોમાં મોટે ભાગે બ્રાહ્મણ પૂજારીઓ જ હોય છે. “ હસ્તિના તાળમાં પિ " વાળ વાર્તા હવે કઈ યાદ પણ નથી કરતું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy