SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) જૈન સાહિત્યની હિતાવહ દિશા. વિધાયક કે સૃ પિતાને જ માનવામાં જેન સિદ્ધાંત બીજા બધા કરતા અગ્રણી છે. જેનાગમનું રહસ્ય * દૂરપાર –બહુ દૂરવર્તી છે એમ કહેવામાં શ્રી હરિભદ્રસૂરિજી જૈનસિદ્ધાંતના અભ્યાસીઓને હૃદયને જ પડઘો પાડી રહ્યા હોય એમ મને લાગે છે. વિશ્વવિદ્યા– પ્રત્યેક જીવમાં કેટલીક શક્તિઓ સ્વાભાવિકપણે જ રહેલી હોય છે. જેનસિદ્ધાંત તેને “પતિએ” (Capacities) ના નામથી ઓળખાવે છે. ચેતન્ય પોતાની આંતર કે ઉચ્ચતર શક્તિઓને છુપાવી-છધ રાખી–એ પર્યાપ્તિ કે બાહ્યશક્તિવડે આ વિધપ્રકૃતિમાંથી પુદ્ગલના સ્કને આકર્ષી, તેનો રસ કરી, ( આહાર પર્યાપ્તિથી ) પિતાની શરીર રચના કરી, ( શરીર પર્યામિ ) દન્દ્રિયો (ઈદ્રિય પર્યાપ્તિ) ઘડી, એક કુશળ શિલ્પકાર અથવા વિશ્વકમની પેઠે, પ્રાણ સજી, ( ધાસોશ્વાસ પર્યાપ્તિ ) ભાષા ( ભાષાપર્યાપ્તિ ) અને મનની ( મન:પર્યાપ્તિ ) પણ રચના કરી શકે છે. દાખલા તરીકે વૃક્ષમાં રહેલું ચૈતન્ય પોતે જ પોતાની શક્તિ વડે, પિતાની આસપાસ રહેલા પ્રકૃતિ સમુદ્રમાંથી પુલ પરમાણુના સ્કંધને આકર્ષી–ગ્રહી એવું રૂપ આપે છે કે જેથી આપણે તેને વૃક્ષરૂપે ઓળખી શકીએ છીએ. એ રીતે વૃક્ષમાં રહેલું ચિતન્ય જ વૃક્ષને સૂછા, વિધાતા અથવા નિયામક છે, અને એજ ચેતન્ય પિતાની વિકસિત શકિતના પ્રમાણમાં બીજી ઉન્નત શરીરરચનાઓ પણ કરી શકે છે. તેવી જ રીતે જળ, અગ્નિ, વાયુ, પર્વત, પૃથ્વી, વનસ્પતિ, જંતુ, પશુ, પક્ષી, જળચર, સ્થળચર, મનુષ્ય, નારક, ચંદ્ર, સૂર્ય અને દેવ વિગેરે દેહને સૃષ્ટાવિધાતા પણ જીવ પોતે જ છે. ચિત્રકાર પોતાની કલ્પના અને મનોભાવને વ્યક્ત કરવા નાના પ્રકારના ચિત્રો આલેખે છે, તેમ છવરૂપી ચિત્રકાર પણ પ્રકૃતિપટ પર પિતાની નામકર્મરૂપી શક્તિવડે નાના પ્રકારના ચિત્રો રચે છે. આથી સ્પષ્ટ થશે કે ચેતન્ય પિતાની શક્તિ પર જ નિર્ભર રહેવાવાળું છે. અંત શક્તિ પ્રભાવ–જેમ બાહ્ય શક્તિથી–પર્યાપ્તિથી ચિતન્ય પિતાની બાહ્ય શરીરરચના કરી લે છે તેમ અંત:શક્તિ કિવા અંતરાત્માથી પિતાના આંતર ગુણેને પણ વિકાસ કરે છે. તે એટલે સુધી કે પોતાનું પૂર્ણ સચ્ચિદાનંદ સ્વરૂપ પોતે જ પ્રકટાવે છે. એ ભાવના ઉદ્ગારોથી જૈનસાહિત્ય પરિપૂર્ણ છે. આપનામાંથી કદાચ કેટલાકએ શ્રીપાળ-મયણાસુંદરીના ચરિત્રનું વાંચન કર્યું હશે; અથવા તે તે ચરિત્ર પરથી સ્વ. ડાહ્યાભાઈ ધોળશાજીએ રચેલું વીણાવેલી નાટકનું વસ્તુ જોયું કે સાંભળ્યું હશે. અમારે જેનસમાજમાં તો વર્ષમાં બે વાર શ્રીપાળરાજાના રાસને પાઠ થાય છે. એ આખા ચરિત્રમાં સ્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy