SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ જનવિભાગ ઓરમાન માતાને પડી. તેણે વિચાર્યું કે “યુવરાજ કુણાલ છે અને મારો પુત્ર યુવરાજ નથી માટે એવો ઉપાય કરું કે ભવિષ્યમાં મારો પુત્ર ગાદીએ બેસે અને હું રાજમાતા તરીકે પૂજાઉં. ” આ પ્રમાણે છેષથી તેણીએ તે કવર ઉઘાડી પત્ર વાંચી જ્યાં સુમારે સધીજતાં લખ્યું હતું ત્યાં તેણીએ એક મીઠું વધારી કુમાળ સંધીવતાં લખ્યું. થોડી વાર પછી સમ્રાટ આવ્યો અને તેણે તે પત્ર ફરી વાર વાંચ્યા સિવાય કવરને મજબુત પેક કરી ઉપર મહેર છાપ મારી એક એપીઆ સાથે જલદી રવાના કરી દીધું. એપીઆએ તે કવર જઈને ત્યાંના સુબાને આપ્યું. તેને આ પત્ર વાંચી ઘણે ખેદ થયો. તેણે પત્ર અડધે કરી કુમારને વંચાવ્યો, પરંતુ કુમારે આખો પત્ર વાંચવાની હઠ લીધી. અંતે બલાકારે તે પત્ર તેણે વાંચ્યો અને કુમ બંધાયત તે પણ વાંચ્યું. વિનયી પુત્રે વિચાર્યું કે પિતાની આજ્ઞા મારાથી કેમ લેપાય? હિંદના રાજાઓ પણ જેની આજ્ઞા નથી લોપતા અને અમારા વંશમાં કેઈએ પણ પિતાની આજ્ઞાને લોપ નથી કર્યો, તે પછી હું મારા પિતાની આજ્ઞાને લોપ કેમ કરી શકું? સુબાએ ઘણી ના પાડી, છતાં કુમારે લોહના ઉના ઉના સળીયા આંખમાં ચાંપી દીધા અને પિતાની આજ્ઞા પાળી–સાથે પોતાનું જવલંત દૃષ્ટાંત પણ જગત આગળ રજુ કર્યું. સમ્રાટ અશોકને આ સાંભળી ઘણું આશ્ચર્ય થયું અને પોતે વાંચ્યા વિના પત્ર મોકલ્યો માટે પિતાને ઘણો ખેદ થયો. હવે કુણાલે અંધ અવસ્થામાં પોતાના પિતા પાસે જવું ઉચિત ન ધાર્યું. પિત પિતાની દુઃખી જીંદગીના દિવસો ત્યાંજ ગાળવા લાગે. ધીમે ધીમે તેને પોતાનું દુઃખ ઓછું થવા લાગ્યું. પછી તેણે સંગીતને અભ્યાસ શરૂ કર્યો. ધીમે ધીમે તે સારા ગવૈયા તરીકે અને વિવિધ જાતનાં વાજીંત્ર વગાડનાર તરીકે તૈયાર થયો. તેણે દેશ દેશના સારા સંગીતશાસ્ત્રીઓને બોલાવી તેમની પાસે જુદી જુદી જાતના ઘણું અનુભવો મેળવ્યા. - હવે તેણે દેશાન્તરમાં પિતાની કીર્તિને વાવટા ફરકાવવા જુદા જુદા વેશે દેશાટન શરૂ કર્યું. બધે સ્થળે વિજય પામતો પિતાની વિજયપતાકા ફરકાવતો અશેકની રાજધાની પાટલી પુત્ર ( પટ્ટના ) ગયા. સમ્રાટે તેને ઓળખ્યો નહિ, પરંતુ કુણાલનું એક સારા ગવૈયા તરીકે ખુબ સન્માન કર્યું. બીજે દિવસે કુણાલે રાજસભામાં પિતાના પિતાને મુખ દેખાડ્યા સિવાય લાલ પડદે નખાવી ગાવાનું શરૂ કર્યું. સમ્રાટ પોતાના મંત્રીઓ સેનાધિપતિ અને સારા શેઠીઆઓ સહિત ત્યાં હાજર હતા. કુણાલે એક પછી એક જુદી જુદી સુંદર ચીજે ગાઈ બતાવી. પછી જ્યારે બરાબર રંગ જામે એટલે તેણે પિતાની આત્મકથા ગાઈ સમ્રાટને પુત્ર સાંભ. પુત્રની વાર્તા તાજી થઈ તેને એમ નક્કી લાગ્યું કે આ પિતાનો પુત્ર કુણુલ છે. પછી પોતે કહેવડાવ્યું કે પુત્રે પિતા પાસે હાજર થવું પરંતુ કુણાલે તે વાત સ્વીકારવા ના પાડી. પછી સમ્રાટે કહ્યું કે તમારી ધીરજ, શૌર્ય, પાંડિત્ય જોઈ હું ખુશ છું. મૌર્ય વંશના કુંવરને આવી જ ઉદારતા ઘટે. તમારે માગવું હોય તે ખુશીથી માગો. કુણાલે સમય જોઈ પિતાનું સિંહાસન અને તાજ માગ્યું. પિતાએ કહ્યું કે તમે અંધ છે પછી રાજ્ય કેવી રીતે કરશો ? ત્યારે તેણે કહ્યું કે મારે એક નાનો પુત્ર છે તેને રાજ્ય આપે. તે રાજ્ય ચલાવશે. પછી સમ્રાટ અશોકે ખુશી થઈ તે બાળકને પિતાને હાથે રાજતિલક કર્યું. આ બાળકને નાનપણથી ગાદી મળી એટલે તેનું નામ સંપ્રતિ પડયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy