SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન રાજાઓ રાખ્યો હતો તેને અત્યારે તો તું તારા પિતા ઉપર પૂર્વને કાંઈ બદલો આપતા હોય તેમ જણાય છે. કણક આ સાંભળી શરમાયો અને પોતે પોતાના હાથમાં કુહાડી લઈ પિતાનું પીંજર તેડી નાખી છેડાવવા ઉઠયો. રાજકેદી શ્રેણીક કેણુકની આવી ક્રૂર અવસ્થા જોઈ બીને કે રબે પુત્ર અને મારી નાખશે! શ્રેણીકને મૃત્યુનો ભય ન હતો છતાં રખેને પુત્રને હાથે પિતહત્યા થાય તે તેને ઉચિત ન લાગ્યું એટલે પિતે પિતાના હાથે મરવું ઠીક ધારી પિતાની પાસે હાથમાં રહેલ હીરાની વીંટી ચુસી મરી ગયો. કણીકે જોયું કે પરિણામ બહુ ખરાબ આવ્યું. તેને પિતાને પ્રેમ સાંભરી આવ્યો અને તેણે ઘણું કલ્પાંત કર્યું. પરંતુ તે રડયા પછી ડહાપણ લાવવા જેવું હતું એટલે તેનું સદન નિષ્ફળ ગયું. કેણિક પિતહત્યાને મહાન ભેગી થયો અને તેથી બૌદ્ધ અને જૈન ઇતિહાસમાં તેને એક નૃશંસ નર તરીકે આલેખ્યો છે. આવી રીતે મહારાજા શ્રેણિકનું જીવન મેં ટુંકાણમાં દેખાડયું છે. વિશેષ જોવા ઈચ્છનાર મહાશયે શ્રેણકયરિત્ર તથા અભયકુમારચરિત્ર ઇત્યાદિનું અવલોકન કરવું. ૩ સમ્રા સંપ્રતિ બૌદ્ધ સમ્રાટ અશોકના પિત્ર સંપ્રતિના નામથી જૈન સમાજમાં વેતામ્બર, દિગમ્બર, કે હુડક પંથમાં પણ કોઈ અજાણે નહિ હોય. આ મહાન રાજાએ તો જૈન ધર્મને દિગંતવ્યાપી કર્યો છે. જેમ અશોકે બૌદ્ધ ધર્મ સ્વીકારી તે ધર્મને તેણે રાજધર્મ કર્યો હતો તેમ તેના પૈત્ર સંપ્રતિએ જેન ધર્મ સ્વીકારી તેના સત્ય સનાતન સિદ્ધાંતને વિશ્વવ્યાપી બનાવી રાજધર્મ તરીકે ફેલાવ્યો હતો. તેનું જન્મ સ્થલ, મહારાજા સંપ્રતિનો જન્મ મરૂ દેશ–મેવાડમાં ઉજજયનીમાં થયો હતો. તેના પિતાનું નામ કુણાલ કે જે સમ્રા અશોકના પાટવી કુંવર હતો. તે કમનસીબ કુણાલ પિતાના પિતાનું વિસ્તૃત રાજ્ય ભોગવવા ભાગ્યશાળી થયો નહતો. જૈન સમાજમાં આને માટે એક દંતકથા ચાલે છે તે નીચે પ્રમાણે છે. મહારાજા સમ્રાટને તેમની પટરાણીથી કુણાલ નામને મુખ્ય પુત્ર થયા હતા. તે જો ત્યારથી ઉજજયનીમાં જ પિતાની માતા સાથે રહેતે, અને ત્યાંજ ઉછરતે મોટો થયો. ઉજજયનીના રાજાસમ્રાટના સુબાએ અશોકને ખબર આપ્યા કે કુમારની ઉમ્મર ભણવા લાયક થઈ છે માટે તેનો યોગ્ય બંદોબસ્ત થાય તે ઠીક. અશોક આ વાંચી ઘણે ખુશી થયો અને તેણે એક પત્ર સુબા ઉપર લખ્યો. તેમાં લખ્યું કે તેના ઉપર બરાબર ચક્કસાઈ રાખી તેને રાજ્યધર્મ બરાબર શીખવાડવો તેમજ બીજી પણ યોગ્ય સુચના તે પત્રમાં લખી અને કુમારને પણ લખ્યું કે કુમારે સધીચતાં “ભણવાને માટે પ્રયત્ન કરો.' આ પ્રમાણે પત્ર લખી કવરમાં બીડી તેને બરાબર મહેર છાપ માર્યા સિવાય પિતાને ઉતાવળ હેવાથી બીજા કાર્યમાં ચાલ્યો ગયો. આ વાતની ખબર કુણાલની, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy