________________
શાહીના ખડિયા જ્યારે ધાળવનું કામ કરે છે
૪૭૧
આવનારો માણસ એકબીજાને સાહેબ સલામ' કહેવા ભેગા થયા વિના રહી શકે જ નહિ. એ પ્રમાણે બંને વચ્ચે ‘સાહેબ સલામ” થઈ ગયા બાદ પેલા મહેમાને સુરંગના મૂળ વતનીને કહ્યું, ‘મારી પીઠ ઉપર શું છે, તે તું જુએ છે; મારે નદી તરફ આને પધરાવવા જવું છે; તારી પાસે ચાવી છે, તો જરા દરવાજો ઉઘાડી નાખ જોઉં.' હવે, એ મુસાફર મહેમાનનું પડછંદ શરીર અને ભૂગર્ભ-સુરંગમાં પોલીસનું રક્ષણ મળવાના અસંભવ, એ બંને વાત વિચારી, પેલા વતનીએ થાડાં ગલ્લાંતલ્લાં કરવામાં વખત કાઢયો અને દરમ્યાન પેલા મડદાનું માં જોઈ લીધું તથા કોઈ વખત પુરાવા તરીકે કામ આવે તે માટે તેના કોટના એક છેડા સિફતથી ફાડી લીધા. પછી દરવાજો ઉઘાડી આપતાં જ પેલા તેના પાપના અપવિત્ર બાજો લઈને નદી તરફ બહાર નીકળી ગયા. અને પેલાને પાછા સુરંગમાં મહેમાન તરીકે સ્વીકારવા ન પડે તે માટે મૂળ વતની દરવાજાને અંદરથી તાળું મારી દૂર ખસી ગયા. હવે સાહેબ, જે માણસ મડદું લઈને આવ્યા હતા તે માણસ જીન વાલજીન હતા, અને દરવાજાની કૂંચીવાળા સુરંગના મૂળ વતની જેણે પેલા મડદામાંથી કોટનો છેડો ફાડી લીધે। હતા –
આમ બેલતાં બેલતાં તેણે ખીસામાંથી એક કાળા કાળા ડાઘવાળા કપડાના એક ટુકડો કાઢી હાથમાં આગળ ધર્યો.
પરંતુ એ ટુકડા ઉપર નજર પડતાંની સાથે જ મેરિયસ એકદમ મડદાની માફક ફીકો પડી ગયા. ધ્રૂજતા ધ્રૂજતા ગાંડાની પેઠે તે એકદમ ઊઠયો અને ભીંતમાંના કબાટનું તાળું ઉઘાડી, અંદરથી ગડી કરેલું કશું કપડું બહાર કાઢવા લાગ્યો. તેની નજર થેનારડિયરના હાથમાં લટકતા પેલા ટુકડા તરફ જ ચોંટી રહેલી હતી.
થેનારડિયરે કંઈક નવાઈ પામી આગળ ચલાવ્યું –
“ૉરન સાહેબ, મને એમ માનવાનાં પૂરતાં કારણા છે કે, જીન વાલજીને પેલા ધનિક જુવાનને કોઈ ને કોઈ બહાને ફોસલાવી, સુરંગમાં લાવી મારી નાખ્યા હાવા જોઈએ અને તેની પાસેથી ભારે માટી રકમ હાથ કરી હાવી જોઈએ.
""
“એ જુવાન માણસ હું જ છું અને આ રહ્યો પેલા કોટ. ” એમ કહી મેરિયસે સુકાઈ ગયેલા લાહીના ડાઘાવાળા એક જૂના કાળા કોટ કબાટમાંથી કાઢીને શેતરંજી ઉપર નાખ્યો.
પછી થેનારડિયરના હાથમાંથી પેલા ટુકડો ઝૂંટવી લઈ તેણે પેલા કોટના ફાટેલા છેડા ઉપર ગેાઠવી જોયા. છેડા બરાબર મળી ગયા. એ ટુકડો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org