SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ઘણી વાર એકી સાથે સા તેની કશી સૂઝ જ પડતી મને પણ એ જ 66 << ડી પરગણાના બિશપ . સા દરદીઓ આવી પડતા; તે વખતે શું કરવું નહોતી. ” વિચાર સ્ફૂર્યો હતા.” આપ નામવરની શી આશા છે?” આ વાતચીત મહેલના નીચલા માળના જમવાના ઓરડામાં થઈ હતી. મોં. મિરે થોડી વાર ચૂપ રહ્યા; પછી અચાનક ઇસ્પિતાલના વ્યવસ્થાપક તરફ ફરીને બાલ્યા : સાહેબ આ ઓરડામાં માત્ર દરદીઓની પથારી જ રાખવામાં આવે, તેા કેટલી સમાય વારુ ?” “ આપ નામવરના ગમવાના ઓરડામાં ? ” વ્યવસ્થાપક ગૂંગળાતે અવાજે બાલ્યા. જવાબમાં મોં. મરેલ ઓરડાની ચારે તરફ નજર કરી, કંઈક માપ લેતા હોય, તથા ગણતરી કરતા હોય એમ લાગ્યું. પછી પોતાની જાત પ્રત્યે જ બોલતા હાય, તેમ તે બોલ્યા : “ આ ઓરડામાં જ વીસ પથારી ખુશીથી સમાઈ રહે.” પછી પેાતાના અવાજ 66 જરા મોટો કરીને તે બેાલ્યા : વ્યવસ્થાપક સાહેબ ! મારે આપને કંઈક કહેવું છે. અહીં મને કશીક ભૂલ થયેલી દેખાય છે. તમે પચીસ છવ્વીસ જણ પાંચ કે છ નાની કોટડીઓમાં સંકડાઈ રહે છે; અને અમે ત્રણ ઘરડાં ડોસ માટે સાઠ જણ સમાઈ રહે તેટલી મેટી જગા ઈલાયદી રાખવામાં આવી છે. તેથી હું આપને કહ્યા કરું છું કે, કંઈક ભૂલ થયેલી છે. હું આપનું મકાન લઉં છું અને આપ મારું મકાન લેા. મને મારું ઘર સોંપી દો. આ મકાન આપનું છે.” બીજે દિવસે છવ્વીસ ગરીબ દરદીઓની પથારીઓ ધર્માચાર્યના મહેલના ભવ્ય ઓરડામાં ગાઠવાઈ ગઈ, અને ધર્માચાર્ય પેતે ઇસ્પિતાલના મકાનમાં ચાલ્યા ગયા. માં. મિરલને ધર્માચાર્ય તરીકે રાજ્ય તરફથી ’પંદર હજાર ડ્રાંકની રકમ મળતી હતી. જે દિવસે માં, મરેલ ઇસ્પિતાલના મકાનમાં રહેવા ગયા, તે જ દિવસે તેમણે પેાતાને મળતી રકમનું અંદાજપત્ર તૈયાર કરી દીધું. Jain Education International તે અંદાજપત્રનું નામ ‘મારા ઘરખર્ચનું અંદાજપત્ર' એવું આપવામાં આવ્યું હતું. પરંતુ ઘરખર્ચ માટે નક્કી કરેલી માત્ર એક હજાર ફ઼ાંકની રકમ ૧ ક્રાંક = લગભગ ૬૦ નવા પૈસા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005197
Book TitleDaridranarayan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy