________________
વચનભંગ વચનો કરે મૂકી, હિંદુસ્તાનમાં સિવિલ સર્વિસની પરીક્ષાઓ ન લેવી એમ ઠરાવીને, હિંદીઓ માટે એક જુદી પરિયા સર્વિસ ઊભી કરવાનું સૂચવ્યું. તેમાં પણ ગોરાઓને દાખલ કરવાની છૂટ તો રાખી જ હતી !
હવે આ કરુણ ઇતિહાસના છેલ્લા પ્રકરણ ઉપર આવીએ. ઈ. સ. ૧૮૯૩માં આમની સભાએ ઠરાવ પસાર કર્યો કે, ઇંગ્લંડમાં સિવિલ સર્વિસ વગેરેની જે પરીક્ષાઓ લેવામાં આવે છે, તે હિંદુસ્તાનમાં પણ સાથે સાથે લેવી. પરંતુ તે વખતન હિંદી વજીર લેર્ડ કિમ્બરલી એની તદ્દન વિરુદ્ધ હતો. તેણે તે ઠરાવનો અમલ કેવી રીતે કર્યો તે જોવા જેવું છે. તેણે હિંદી સરકારને લખેલા સુચનાપત્રમાં ઉમેર્યું કે, “હું એ વસ્તુ ઉપર ધ્યાન ખેંચવા માગું છું કે, સિવિલ સર્વિસમાં ગોરાઓની પૂરતી સંખ્યા હોય એ આવશ્યક છે. અને એ શરત પૂરી ન કરે એવી કોઈ પણ જના સ્વીકારી શકાય તેમ નથી.” હિંદી સરકાર પાસે પાર્લમેન્ટના ઠરાવનો અમલ કરાવવાને બદલે એ રોજનાને વિરોધ કરવાની જ ચેખી સૂચના હિંદી વજીર લખી મોકલે છે, અને પરિણામે હિંદી સરકાર એ આખા કાયદાને પ્રાણુત વિરોધ કરી, તેને નેવે મૂકે છે. - જે પાર્લમેન્ટના કાયદાઓ કાયદાપોથી ઉપર ચડવા છતાં કચરાપેટીના કાગળ જેવા જ રહે, તે પાર્લમેન્ટના કાયદાઓ અને વચનો ઉપર હિંદીઓને ક્યાં સુધી વિશ્વાસ રહે ? આજે એક હાથે કાંઈક આપવામાં આવે છે, તો કાલે બીજે હાથે તેને પાછું ખેંચી લેવામાં આવે છે, અને દરમ્યાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org