________________
૮૮ -
હિંદુસ્તાનની ગરીબાઈ
હશે, તે કપી શકાશે. ત્રીજા અગત્યના સભ્ય સર ચાર્લ્સ કોવાઈટે તો અગાઉ સિયામ બાબત ભાષણ કરતાં જણાવ્યું હતું કે, “સાચો પ્રશ્ન તો એ છે કે, આપણા માલ માટે નવાં બજાર મેળવવા માટે, તેમ જ આજકાલનો આપણે વધી પડેલો માલ – આપણું પિયરાઓ – તેમને ઠેકાણે પાડવા માટે આપણે સિયામને વધુમાં વધુ ઉપયોગ કેવી રીતે કરી શકીએ.”
જે હિંદી સભ્ય કમિશનમાં નીમવામાં આવ્યા હતા, તેમાંના મિ. કાઝી શાહબુદ્દીને તો મને સ્પષ્ટ સંભળાવી દીધું હતું કે, પોતે સરકારની બરાબર તરફેણમાં છે. તેમણે તો ઉપરાંતમાં જણાવ્યું કે, “ન્યાયના તેમ જ નીતિના બીજા શાશ્વત સિદ્ધાંતોની વાતો કરવી એ બહુ સારી વસ્તુ છે; પરંતુ મેં તે હિંદુઓને આગળ વધતા અટકાવવાનો નિશ્ચય જ કર્યો છે....!
આવા કમિશનની તપાસનું પરિણામ શું આવે? તેમને તપાસ તો કરવી જ ક્યાં હતી ? કમિશન આગળ અપાયેલી જુબાનીઓમાં બહુમતી તો હિંદુસ્તાનમાં પણ સાથે સાથે સિવિલ સર્વિસની પરીક્ષાઓ લેવાની તરફેણમાં જ હતી. છતાં કમિશને તો હિંદી સરકારને જે કરવું હતું, તે જ કરવાની તરફેણમાં પિતાનો ચુકાદો આપ્યો અને પાર્લમેન્ટ ઈ. સ. ૧૮૩૩માં તેમ જ ઈ. સ. ૧૮૭૦માં આપેલાં બધાં
* તરફેણમાં ૩૬૧; વિરુદ્ધ ૧૬૩. તેમાં યાદ રાખવાનું કે જુબાની આપનારાઓમાં ૧૩.૫ ટકા જેટલા તે યુરોપિયને જ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org