________________
હિંદુસ્તાનની ગરીબાઈ નવા ઠરાવો અને શહેનશાહેના દિલ જીભર્યા ઢંઢેરાઓ તો વરસ્યા જ કરતા હોય છે.
હિંદુસ્તાનનું અત્યારનું આખું અંગ્રેજી તંત્ર નવાબશાહીં અન્યાય અને જોરજુલમને રેતાળ પાયા ઉપર રચવામાં આવ્યું છે. અને એ પાયા ઉપરની ઈમારતને નવા નવા વચનભંગેવિશ્વાસઘાતો, અન્યાય અને અત્યાચારોથી જેમ જેમ વધુ ને વધુ વજનદાર બનાવવામાં આવે છે, તેમ તેમ તે ઇમારતને કરુણ ફેજ હું વધારે ને વધારે નજીક આવતો જોઉં છું. મારા શબ્દોમાં જે કડવાશ છે, તેનું કારણ એ જ છે કે, આ બે મહાન દેશો વચ્ચેનો સંબંધ બંનેને હિતકર અને આશીર્વાદરૂપ બનાવી શકાય તેમ છે; છતાં અમુક વર્ગની સ્વાથી અને ટૂંકી દૃષ્ટિથી તેને એકને માટે શાપરૂપ અને બીજાને માટે ગંભીર જોખમભરેલા બનાવવામાં આવે છે.
૨. સિવિલ સર્વિસ સિવાયની કરીએ - સર એસ. નોર્થકેટે ઈ. સ. ૧૮૬ ૮ની ૮મી ફેબ્રુઆરીના પોતાના ખરતામાં હિંદી સરકારને લખ્યું કે, “એમ નક્કી થયું છે કે, પ્રાંતમાં જે વધુ અગત્યની અને જવાબદારીની જગાઓ છે, તે તો સિવિલ સર્વિસની પરીક્ષા મારફતે જેમને હાલમાં સરકારી નોકરીમાં દાખલ કરવામાં આવે છે, તેમના વડે જ પૂરવી જોઈએ; પરંતુ તે ઉપરાંત બીજી કેટલીય જગાએ હોય છે કે, જે સિવિલ સર્વિસની નોકરીઓ કરતાં આર્થિક દૃષ્ટિએ કે પ્રતિષ્ઠાની દષ્ટિએ સહેજ પણ ઊતરતી હેતી નથી; તેમ જ તે જગાઓ માટે તો હિંદીઓનો જ હક સૌથી પ્રથમ ગણાવો જોઈએ. પરંતુ તમે કબૂલ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org