SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુસ્તાનની ગરીબાઈ બે શબ્દો હું શરૂઆતમાં જ કહી લઉં. જ્યારે સરકારને એમ લાગે છે કે, પોતાની કોઈ યોજનાનો સ્વીકાર જાહેર પ્રજામાં થે સંભવિત નથી, ત્યારે તે બાબતમાં તપાસ કરી રિપેટ કરવા માટે તે એકાદ કામશને કે કમિટી નીમે છે. તેના સભ્યો મોટે ભાગે સરકારી અમલદારે હોય છે. કોઈ કઈ વાર તેમાં બિનઅમલદાર વર્ગમાંથી પણ કેટલાક અંગ્રેજો કે હિંદીઓને સામેલ કરવામાં આવે છે. પરંતુ તે બધા સરકારની પસંદગીના જ હોય છે. કમિશનમાં જે સરકારી અમલદારો નિમાયા હોય, તેમણે તે સરકારને અભિપ્રાય જ સ્વીકારવો પડે. જે કાઈ અમલદાર સ્વતંત્ર અભિપ્રાય. દર્શાવીને સરકારને નાખુશ કરે, તો તેની શી વલે થાય. તે સમજી શકાય તેવું છે. એ બાબતમાં એક દાખલો અણધાર્યો જ મળી આવ્યો છે, તે અહીં જણાવું. ફાઇનેન્સ કમિટી (ઈ. સ. ૧૮૭૧–૪) આગળ મિ. ગેડીઝને જુબાની આપવા લાવવામાં આવ્યા. તેમણે પોતાના એક પુસ્તકમાં સરકારને ન ગમતા એવા વિચારો દર્શાવ્યા હતા. તેમને જુબાની વખતે એવી વિચિત્ર રીતે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, તેમની ઠેકડી જ થાય. ઉપરાંત, તે દરમ્યાન તેમના મનમાં સ્પષ્ટ રીતે ઠસાવવામાં આવ્યું કે, તેમના અભિપ્રાય, તે જે સરકારની નોકરી કરે છે, તેના અભિપ્રાયેને સુસંગત હોવા જોઈએ. જવાબમાં ગેડીઝે કહ્યું કે, સરકારમાં પિતામાં જે સુસંગતતા હોય, તો તેને અભિપ્રાય સાથે સુસંગત અભિપ્રાય રાખવા હું તૈયાર છું.” એટલે મિ. ડફે તેમને તરત સીધું જ પૂછયું કે, તમે સરકારની નોકરી કરે છે કેમ?” મ. ગેડીઝે કહ્યું, ‘હા’. અને તમે તે નેકરી ઉપર પાછા જશે એમ માને છે ?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy