________________
વચનભંગ
છેવટે હિંદી સરકારને ઈ. સ. ૧૮૭૦ના કાયદા મુજબ, લંડન જઈને પરીક્ષા આપવાની જરૂર વિના સિવિલ સર્વિમાં હિંદીઓને દાખલ કરવાના નિયમે તૈયાર કરવા પડ્યા. કલપના તો એવી હતી કે, લંડનના જેવી જ પરીક્ષા હિંદુસ્તાનમાં લેવાનું ઠરાવીને હિંદીઓને દાખલ કરવામાં આવશે. પરંતુ હિંદી સરકારે આ વખતે જુદી જ જાતની રમત રમવાનું નક્કી કર્યું. તેણે ઠરાવ્યું કે, તેવી કાંઈ પરીક્ષા લીધા વિના જ હિંદીઓને સિવિલ સર્વિસમાં દાખલ કરવા. તેનો અર્થ એ થયો કે, ગમે તેવા તેમ જ શક્તિ વિનાના કે પિતાને ફાવતા માણસને સરકાર સિવિલ સર્વિસમાં દાખલ કરી છે. તેમાંથી હિંદી સરકારને એક જ પરિણામ લાવવું હતું, અને તે એ કે, હિંદી અમલદારો અંગ્રેજ સિવિલિયને જેટલા કુશળ કે કાર્યદક્ષ નથી હોતા, એ દુનિયા આગળ બતાવવું.
ગમે તેમ છે. પરંતુ, નવા નિયમ અનુસાર હિંદીઓની નિમણૂક થવા માંડતાં હિંદુસ્તાનમાં કાંઈક સંતોષની લાગણી ફેલાવા લાગી. એ નિમણુકાને તે વખતે “ડેપ્યુટરી સર્વિસ” એવું જુદું નામ આપવામાં આવ્યું. તે વખતે તો કોઈને તે સામે ખાસ વાંધો ઉઠાવવાની જરૂર ન લાગી; કારણ કે, નામ ગમે તે રાખીને પણ, હિંદીઓને સિવિલ સર્વિસમાં દાખલ કરવામાં આવે તો બસ છે, એવી લાગણી તે વખતે પ્રવર્તતી હતી. . પરંતુ, હિંદી સરકારના મનમાં પિતાની જન નક્કી જ હતી. થોડાં વર્ષ બાદ જ, પિતાને ફાવતો હિંદી વજીર નિમાતાંની સાથે તેણે એક કમિશન નીમ્યું. આ કમિશન બાબત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org