________________
૪
હિંદુસ્તાનની ગરીબાઈ
અને અમલમાં આવે ત્યાં સુધી તા લાભદાયક જ હતી. પરંતુ એક વર્ષ અમલમાં રહ્યા પછી, બીજે વર્ષે તે પણ અધ કરવામાં આવી. અંતે છેક ઈ. સ. ૧૮૭૮માં હિંદી સરકારે પેાતાને ખરીતા હિંદી વજીર તરફ રવાના કર્યાં. એ ખરીતે પ્રસ્તુત પ્રશ્નના ઇતિહાસમાં કાળા ડાઘ રૂપે હમેશાં કાયમ રહેશે. તેમાં ઈ. સ. ૧૮૩૭, ૧૮૫૮, અને ૧૮૭૦માં બ્રિટિશ પાર્લમેન્ટે આપેલાં બધાં વચન ઉપર પાણી ફેરવવામાં આવ્યું. ઈ. સ ૧૮૭૦ના કાયદા અનુસાર હિંદીએને સિવિલ સર્વિસની નાકરીએ।માં ખાસ પ્રમાણમાં (દર વર્ષે સાત) દાખલ કરવા, એવું ઠરાવવામાં આવ્યું હતું. એ વાત હિંદુસ્તાનના ગેારાઓને બહુ ભારે થઈ પડી હતી. તેમણે એ કાયદાને અમલ ન થાય તે માટે અને તેટલા પ્રયત્ના કર્યાં. પણ જ્યારે ઉપરનું દબાણ અસદ્ય થઈ પડયું, ત્યારે તેમણે આ એક નવા નુસખા શોધી કાઢો, તે પ્રમાણે હિંદી સરકારે સૂચવ્યું કે, હિંદીએને માટે એક જુદી સર્વિસ સ્થાપવી, અને તે માટે અમુક દરજ્જાની અમુક નાકરીએ અલગ રાખવી. એટલે કે, પાર્લમેન્ટે અંધી નાકરીઓ માટે હિંદીએને આપેલી સમાનતા એ સપાટે રદ કરવી ! જોકે, એ વિભાગમાં પણ અંગ્રેજોને દાખલ ન જ કરવા. એમ કાંઈ નહેાતું જ. પરંતુ, હિંદી વજીર આ સૂચના કબૂલ રાખી ન શક્યા; અને તેણે તેા ઈ. સ. ૧૮૭૦ના કાયદાના જ અમલ કરવા માટે આગ્રહ કર્યો. તેણે જણાવ્યું કે, ‘ તમારી સૂચનાના સ્વીકાર કરવા એને અથ તા એ જ થાય કે, ઈ. સ. ૧૮૩૩ના પાર્લમેન્ટના કાયદાને જ રદ કરવા.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org