________________
વચનલ'ગ
૮૧
આવે, અને તેમાં પસાર થનારને જ પછી વધુ અનુભવ કે પરીક્ષા માટે ઇંગ્લંડ જવાનું ઠરાવવામાં આવે,' એવી ચળવળ ઉપાડી. અંતે ઈ. સ. ૧૮૭૦ની ૨૫મી માર્ચે ડ્યૂક ઑફ આગઈલ હિંદી વજીર હતા ત્યારે, તેમણે એક બિલ રજૂ કર્યું, અને તે પસાર પણ થયું. તે બિલના બીજા વખતના વાચન વખતે શ્વક સાહેબે જે વચનો ઉચ્ચાર્યા હતાં, તે ધ્યામાં રાખવા જેવાં છે :
..... આ કલમનો હેતુ, બ્રિટિશ સરકારે ઠરાવેલાં અમુક નિયંત્રણો અને ધારાધોરણ અનુસાર ગવર્નર જનરલને એવી સત્તા આપવાનો છે, કે જેથી તે, હિંદુસ્તાનના વતનીએમાંથી, તેમને ઈગ્લેંડ આવીને પરીક્ષા આપવાની ફરજ પાડ્યા વિના, હિંદી સિવિલ સર્વિસ માટે પસંદગી કરી શકે, એવું પૂછવામાં આવે છે કે, તે સર્વિસની કાર્યકુશળતા અને ઉત્તમતા સચવાય તે માટે પાર્લામેન્ટ જે નિયમ બાંધ્યા છે, તેની સાથે આ વસ્તુ સુસંગત છે કે કેમ. પરંતુ, તેના કરતાં પણ વધુ અગત્યનો પ્રશ્ન તો એ છે કે, હિંદુસ્તાનના લોકો પ્રત્યેની આપણી ફરજો અને તેમને અત્યાર સુધી આપણે આપેલાં વચનો અદા કરવા માટે એ વસ્તુ જરૂરી છે કે કેમ.
અત્યાર સુધી આપણે જુદે જુદે અનેક સમયે હિંદીઓને વચનો આપ્યા ક્યોં છે કે, તેમને કાંઈ પણ વાંધા વિના અંગ્રેજોની પેઠે જ તેમના દેશના રાજતંત્રમાં ભાગ લેવા દેવામાં આવશે. પરંતુ, ઈ. સ. ૧૮૫૩માં પાર્લમેન્ટની ચર્ચા વખતે મારા સદ્ગત મિત્ર ઑર્ડ મોન્ટીન્ગલે જુસ્સાપૂર્વક ફરિયાદ કરી હતી તેમ, હિંદીઓને બધા જ હોદ્દાઓ ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org