________________
હિંદુસ્તાનની ગરીબાઈ સ્ટેનલી વગેરેએ તે પરીક્ષા હિંદુસ્તાનમાં પણ લેવાનું ઠરાવવા માટે ભારે લડત ચલાવી; તથા ખુલ્લા શબ્દોમાં જણાવ્યું કે, પરીક્ષા લંડનમાં જ રાખવી એ, એક હાથે હિંદીઓને આપેલી છૂટ બીજે હાથે પાછી ખેંચી લેવા જેવું જ છે, તેમણે કહ્યું કે, “જે એ પરીક્ષા લંડનને બદલે કલકત્તામાં જ લેવાતી હોય, તો કેટલા અંગ્રેજો પિતાના છોકરાઓને નેકરી મળવાની આશાએ તે પરીક્ષા આપવા માટે બે ત્રણ વર્ષ હિંદુસ્તાનમાં ગાળવા મેકલે? ” પરંતુ, એ બધી દલીલો ઉપર કોઈએ ધ્યાન ન આપ્યું, અને હિંદીઓને કરવામાં આવતા અન્યાય કાયમ જ રહ્યો.
પછી તો ઈ.સ. ૧૮પ૭નો બળ આવ્યું, અને તેને અંતે હિંદુસ્તાનનું રાજતંત્ર કંપનીના હાથમાંથી બ્રિટિશ સરકારના હાથમાં આવ્યું. મહારાણીએ ઈ. સ. ૧૮૫૮માં પિતાનો સુપ્રસિદ્ધ ઢરે બહાર પાડ્યો અને હિંદીઓને
ન્યાય મળવાની આશા ફરી ઊભી થઈ. એ દંઢેરા પ્રમાણે હિંદીઓને નિષ્પક્ષપાત રીતે અંગ્રેજ પ્રજા જેવા સમાન હકા બક્ષવામાં આવ્યા અને તેમને બ્રિટિશ સામ્રાજ્યની કોઈ નોકરીમાંથી બાતલ નહીં રાખવામાં આવે, એવું ઈશ્વરની સાક્ષીએ જાહેર કરવામાં આવ્યું.
પરંતુ તેથી શું વળ્યું ? એ ઢંઢેરાનો અમલ પણ પહેલાંની માફક તેની જાહેરાતોને ભંગ કરીને જ કરવામાં આવ્યું. ઈ. સ. ૧૮૬૮માં આમની સભામાં મિ. ફેસેટે, ‘હિંદી સિવિલ સર્વિસની પરીક્ષાઓ ઈગ્લેંડમાં લેવાતી હોવાથી હિંદીઓને ઘણું અગવડ તેમ જ ખર્ચમાં ઊતરવું પડતું હોવાને લીધે, તેવી પ્રાથમિક પરીક્ષા હિંદુસ્તાનમાં પણ લેવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org