________________
વચનભગ
૯ સજા કરીએ; આપણે જ તેમને ગુલામ બનાવીએ, અને પછી તેમને ગુલામ જેવા કહીને ધિક્કારીએ, એમાં મને કશું સુસંગત લાગતું નથી.”
આવી અનેક ઝીણવટભરી ચર્ચાઓ પછી, શરૂઆતમાં જણાવેલ કાયદો પાર્લમેંટે પસાર કર્યો, અને હિંદીઓને સરકારની બધી નોકરીઓમાં જાતિ કે ધર્મના કાંઈ ભેદભાવ વિના દાખલ કરવાનું જાહેર કરવામાં આવ્યું. એ કાયદાને હિંદી સરકારે જે વફાદારીથી અને પ્રમાણિકતાથી અમલ કર્યો હોત, તો આ ૬૦ વર્ષ બાદ હિંદુસ્તાનમાં આજે જે કંગાલિયત, વેદના અને પાયમાલીનાં કરુણ દશ્ય જોવા મળે છે, તેમને બદલે એક આબાદ, ઉદ્યોગ અને સમૃદ્ધ તથા બ્રિટિશ સામ્રાજ્યને પ્રાણુત સુધી વફાદાર એવો દેશ જેવા મળત. અરે, તેનાં જે સુપરિણામે બંને દેશને ચાખવા મળ્યાં હોત, તેની અત્યારે તે કલ્પના પણ કરવી મુશ્કેલ છે.
પરંતુ હિંદુસ્તાનના અંગ્રેજ કારભારીએાએ તે કાયદાને જાણીબૂજીને સૂતો મૂક્યો અને ૨૦ વર્ષ વીતી જવા છતાં તેનો કશો જ અમલ ન કર્યો. પછી જ્યારે કંપની સરકારનો પટે ફરી લંબાવી આપવાનો વખત આવ્યો, ત્યારે મિ. રિચ, મિ. બ્રાઈટ, અને લોર્ડ ટેનલી વગેરેએ એ બાબત વિષે પાર્લામેન્ટમાં ભારે ઝુંબેશ ઉપાડી. એટલે ઈ. સ. ૧૮૫૭ના નવા પટા વખતે બિલમાં હિંદુસ્તાનની સિવિલ સર્વિસની ભરતી જાહેર પરીક્ષાથી કરવાનું ઠરાવવામાં આવ્યું, અને તે પરીક્ષામાં હિંદીઓને પણ સામેલ થવાની છૂટ રાખવામાં આવી. પરંતુ, સાથે સાથે, તે પરીક્ષા લંડનમાં જ લેવાનું કરાવીને, અંગ્રેજોનો ઈજારો કાયમ રાખવામાં આવ્યા. લોર્ડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org