________________
હિંદુસ્તાનની ગરીબાઈ નીતિ, આપણું સાહિત્ય અને આપણી કાયદાપદ્ધતિનું અવિનાશ સામ્રાજ્ય.”
આ ચર્ચા વખતે જ બધા પ્રકારનું રાજકીય કામ કરવાની હિંદીઓની લાયકાત વિષે પણ ખૂબ છણાવટ થઈ હતી. માર્વિસ ઑફ લેન્ડસ્કાઉને સર થોમસ મનરોના શબ્દો ટાંકીને જણાવ્યું હતું કે, “હિંદીઓને આપણા કરતાં સાહજિક બુદ્ધિમાં ઊતરતા માનવાને આપણી પાસે કશું કારણ નથી. ઊલટું, હું તો એમ માનું છું કે, ગોરાઓ કરતાં પોતાના કામ માટે તેઓ વધુ લાયક નીવડવાનો સંભવ છે. કારણ કે, તેમની પસંદગી તો ત્યાંની આખી પ્રજામાંથી કરવાની હોય છે; જ્યારે ગોરાઓની પસંદગી તે કંપનીના ખોબા જેટલા નોકરોમાંથી કરવાની હોય છે.”
દેશીઓ લાંચિયા હોય છે, એ આક્ષેપના જવાબમાં બોલતાં તે જ ચર્ચા દરમ્યાન મિ. વાઈને જણાવ્યું હતું કે : “એવો આક્ષેપ કરવામાં આવે છે કે, દેશીએ ભરોસાપાત્ર હોતા નથી. તેમ જ તેમની શક્તિ અને બુદ્ધિ ગમે તેટલાં હોય, તો પણ તેમની પ્રમાણિકતા ઉપર જરાય વિશ્વાસ મૂકી ન શકાય. તેમની રુશવતખારીના દાખલાઓ ટાંકવામાં આવે છે. પરંતુ, તે બધું તેમના પ્રત્યેની આપણી વર્તણૂકનું જ પરિણામ નથી શું? તેમને પૂરતો પગાર કે જવાબદારીવાળો હોદ્દો આપ્યા વિના, તેમના ઉપર અગત્યનાં બધાં કામ કરવાનાં નાખો; તેમની વફાદારી માટે તેમને કાંઈ ઇનામ કે અઢતી ન આપે; અને પછી તેમના ઉપર રુશવતખારીને આરોપ મૂકે, એનો શું અર્થ છે ? આપણે જ તેમનામાં દુર્ગણો ઊભા કરીએ, અને પછી પાછા તેને માટે તેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org