________________
વચનભગ
૭૩ સહૃદયતા, દીર્ધદષ્ટિ, ન્યાયવૃત્તિ, અને હિંમતને કારણે ચિરસ્મરણીય થઈ ગયાં છે. મૅકેલેએ જે ભાષણ આપ્યું હતું, તે કોઈ પણ અંગ્રેજ સહસ્થને છાજે તેવું હતું. તેણે જણાવ્યું હતું :–
“સ્વાર્થી હદયના અને સંકુચિત મનવાળા લકે બધાં ઉપનામાં જે ઉપનામને સૌથી વધારે શરમભરેલું ગણે છે, તે ઉપનામથી સંબેધાવાનું, એટલે કે “ફિલસુફ” કહેવાવાનું જોખમ ખેડીને પણ હું કહેવા માગું છું કે, જે કાયદામાં ઉપર જણાવેલી કલમ છે, તે કાયદો ઘડવામાં મદદ કરનારાઓમાં એક હોવાને કારણે હું મારી જિંદગીના છેલ્લા દિવસ સુધી મગરૂર રહીશ. આપણને એમ કહેવામાં આવે છે કે, હિંદુસ્તાનના વતનીઓને ઊંચા દરજજાની મુલકી કે લશ્કરી નોકરીઓમાં દાખલ કરી શકાય એવો વખત કદી આવવાને જ નથી. આપણને એમ કહેવામાં આવે છે કે, એ શરતે તો આપણે હિંદુસ્તાનમાં આપણી હકુમત ટકાવી રહ્યા છીએ. આપણને એમ કહેવામાં આવે છે કે, આપણા હિંદી પ્રજાજનો જે હક અને લાભ ભોગવવાને લાયક છે, તે બધા તેમને આપવાને આપણે બંધાયેલા નથી; તેમ જ જે લાભ આપવાનું આપણા હાથમાં છે તે આપવાને પણ આપણે બંધાયેલા નથી; માત્ર આપણી સત્તાને સહેજ પણ જોખમમાં ઉતાર્યા વિના જે કાંઈ લાભ તેમને આપી શકીએ, તેટલા જ આપવાને આપણે બંધાયેલા છીએ. એ પ્રસ્તાવનો હું ગંભીરતાપૂર્વક વિરોધ કરું છું. કારણકે, તે ડાહી રાજનીતિ તેમ જ સાચી ધર્મનીતિ એ બંનેની સાથે વિસંગત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org