________________
હિંદુસ્તાનની ગરીબાઈ અને પ્રમાણિકતા અનુસાર તેમને લાયક એવી અમારી કંઈ પણ નોકરીમાં છૂટથી અને નિષ્પક્ષપાતપણે દાખલ કરવામાં આવે.”
- વાઈસરૉય લેડ લીટન: રાણીએ શહેનશાહબાનુનું પદ સ્વીકાર્યું તે પ્રસંગે ભરાયેલા દિલ્હીના દરબારમાં તા. ૧, જાન્યુ. ૧૯૭૭:
“જે દેશમાં તમે વસવાટ કરે છે, તે દેશના રાજતંત્રમાં તમારી લાયકાત મુજબ બીજા અંગ્રેજ પ્રજા જનની માફક ભાગ લેવાનો તમારો અધિકાર સ્વીકારવામાં આવેલો છે. તમારો એ અધિકાર ઊંચામાં ઊંચા ન્યાયના સિદ્ધાંતો ઉપર રચાયેલ છે. તે અધિકારીને અંગ્રેજ તેમ જ હિન્દી રાજપુરુએ તેમ જ શાહી પાર્લામેન્ટ વારંવાર કબૂલ રાખેલો છે. હિન્દી સરકારે પણ તેને પોતાની નીતિ સાથે સુસંગત માનીને સ્વીકાર્યો છે, તથા તેને અમલ કરવા તે પિતાને ગંભીર રીતે બંધાયેલી માને છે.”
જેને કારણે હિંદુસ્તાનમાંથી મોટા પ્રમાણમાં પૈસા બહાર ઘસડાઈ જાય છે, અને જેને પરિણામે હિંદુસ્તાન ગરીબાઈમાં સપડાતું જાય છે, તે વસ્તુ બીજી કોઈ નહીં, પણ અંગ્રેજોને બને તેટલી રીતે હિંદુસ્તાનમાં વધારે ને વધારે પ્રમાણમાં નોકરી આપવાની સરકારની રીત છે. તેને કારણે જ અંગ્રેજ સરકારને પોતાનાં કર્તવ્ય ચૂકવાની અને પોતે આપેલાં વચને પાર ન પાડવાની” બેટી અને અનૈતિક સ્થિતિમાં રહ્યા કરવું પડે છે. ચાલીસ વર્ષ પૂર્વે ઈ. સ. ૧૮૩૩માં પાર્લામેન્ટ હિંમતભેર ઠરાવ્યું કે, હિંદુસ્તાનના કાઈ પણ વતનીને તેની જાતિ, જન્મસ્થાન કે ધર્મને કારણે ઈસ્ટ ઈડિયા કંપનીના તંત્ર હેઠળનાં કઈ પણ પદ, પદવી કે નોકરી ધારણ કરવાને નાલાયક ગણવામાં નહીં આવે. તે કાયદો ઘડતી વખતે જે ભાષણે થયાં હતાં, તે તેમની પાછળ રહેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org