________________
રેલવે વગેરે બાંધકામે માલિક જમીનદારે માટે જ ગદ્ધાવૈતરું કરતા હતા, પરંતુ હિંદુસ્તાનના ગુલામે તો પરદેશી લોકોને નફે કરી આપી પિતાના દેશને વધુ કંગાળ બનાવવા ગુલામી ઢસડે છે. હું એક દાખલો આપું : મુંબઈ બહુ પૈસાદાર સ્થળ ગણાય છે, તેમ જ એક મોટા બંદર તરીકે તેને વ્યવહાર ચલાવવા માટે ત્યાં બહુ મોટી મૂડી ચલણમાં છે. પરંતુ તે મૂડી કોની છે? મેટે ભાગે પરદેશીઓની. યુરોપિયન એક્ષચેંજ બેંકે અને યુરોપિયન વેપારીઓની મૂડી તો પરદેશી છે જ; પરંતુ દેશી લેકની જે મૂડી છે, તે પણ દેશી રાજ્યના શરણે અને વેપારીઓની જ છે. મુંબઈમાં રોકાયેલી ૬,૦૦૦,૦૦૦ પાઉંડ જેટલી મૂડી દેશી રાજ્યના શરાફની છે. ઉપરાંત, મુંબઈમાં વસવાટ કરીને રહેલા ઘણાખરા મોટા વેપારીઓ પણ રજપૂતાના, મારવાડ, કચ્છ, કાઠિયાવાડ– એમ દેશી રાજ્યના જ છે. એટલે બ્રિટિશ હિંદુસ્તાનની પિતાની મૂડી કેટલી છે? નહીં જેવી જ. કારણકે બ્રિટિશ હિંદુસ્તાન એવી રીતે એવા હાથમાં સપડાયેલું છે કે, ત્યાં મૂડી ભેગી થાય જ નહીં! તેથી પિતાની બધી સાધનસંપત્તિનો ઉપયોગ કરી. મૂડીને નફે પોતે ભેગો કરવાને બદલે, તેને પરદેશીઓને જ આપી દેવું પડે છે. જે બ્રિટિશ હિંદુસ્તાનને પોતાને વિકાસ પોતાની મેળે સાધવાની સ્વતંત્રતા હોત, તે તે પોતાની બધી જ જરૂરિયાતો તો પૂરી પાડી શકત જ, તેટલું જ નહીં પણ પરદેશી મૂડીદારે સાથે હરીફાઈન ક્ષેત્રમાં નિર્વિકને ઊતરી શકત. સરકારી આંકડા પ્રમાણે જ બ્રિટિશ હિંદુસ્તાનમાંથી લગભગ ૨૦,૦૦૦,૦૦૦ પાઉંડ દર વર્ષે પરદેશ જાય છે. આ રકમમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org