________________
૧૮ હિંદુસ્તાનની ગરીબાઈ ઉદ્યોગશક્તિને નહીંકારણ, ઉદ્યોગમાં રોકવા માટે જેટલી મૂડી દેશમાં હોય, તેથી વધારે પ્રમાણમાં ઉદ્યોગ સંભવી શકે નહીં.'
હિંદુસ્તાનના અત્યારના સંજોગો એવા છે કે, દેશની તમામ પેદાશને દેશની ઉદ્યોગશક્તિના નિભાવમાં વાપરી નાંખવામાં આવે તોપણ, તેની આવશ્યક જરૂરિયાત પણ પૂરી પડી શકે તેમ નથી. ત્યાં બચત કે મૂડીમાં વધારાની તો વાત જ શી ? ઉપરાંત, એ ખૂટતી પેદાશમાંથી આપણે આગળ જોઈ ગયા તેમ, દર વર્ષે મેટી રકમ પરદેશ ઘસડાયા કરે છે. પરિણામે દેશની ઉદ્યોગશક્તિ વરસે વરસ ઘટતી જાય છે. કારણ કે, “ઉદ્યોગ હંમેશાં મૂડીથી મર્યાદિત હોય છે. એટલે આપણે દેશમાં તો “મીણબત્તી બંને છેડે બળે છે.” દર વરસે મૂડી ઘટતી જાય છે, અને બીજી બાજુ, દેશની ઉદ્યોગશક્તિ ગયા વરસ જેટલું પણ ફરી ઉત્પન્ન કરવાને અશક્ત થતી જાય છે.
એક બીજી વાત પણ અહીં જ જણાવતો જાઉં. દેશની પાસે પરદેશીઓની સતત ચાલતી લૂંટને કારણે હવે નહાં જેવી જ મુડી રહી છે; અને તેમાં તે વધારો કરી શકે તેમ નથી. તેથી દેશનો બધો વ્યવહાર પરદેશી મૂડી વડે જ ચાલે છે; એટલે તેને બધે નફે પણ પરદેશીઓ જ ઘસડી જાય છે. બ્રિટિશ હિંદુસ્તાનના લોકોને તે, તે પરદેશી મૂડીદારની મજૂરી અને ગુલામી કરવા પેટે જે કાંઈ થોડું ઘણું મળે, તેટલાથી જ નભ્યા કરવાનું હોય છે. અમેરિકાના ગુલામે તો દેશના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org