________________
રેલવે વગેરે બાંધકામે “જેટલા પ્રમાણમાં દેશ પાસે ઉદ્યોગ કરવા માટે કાચે ભાલ હોયતેમ જ ઉદ્યોગ કરનારાઓને ખાવા માટે ખોરાક હોય, તેનાથી વધારે પ્રમાણમાં ઉદ્યોગ સંભવી શકે નહીં.”
એક બાજુ જેમ ઉદ્યોગ મૂડીથી મર્યાદિત છે, તેમ એક બાજુ મૂડીમાં થતો દરેક વધારે ઉદ્યોગના પ્રમાણમાં વધારો કરે છે, કે કરી શકે છે.”
“બધી મૂડી તેમ જ મૂડીને બધે નવો વધારે બચતનું પરિણામ છે.”
દેશમાં ઉત્પાદક મજૂરીને નભાવનાર કે કામે લગાડનાર તો તેને માટે ખાતી મુડી છે : તે મજૂરીથી પેદા થયેલી ચીજ માટે ખરીદનારાઓએ કરેલી માગણી નહિ.”
વસ્તુઓ માટે ખરીદનારાઓએ કરેલી માગણી, તો માર કયા ધંધામાં કે કઈ દિશામાં મુડી તેમ જ ઉદ્યોગશક્તિને
જવાં. એટલું જ નક્કી કરે છે. ખરીદનારાઓની માગણી ઉત્પાદક મજૂરીના પ્રમાણમાં વધારો કે ઘટાડો નથી કરી શકતી, તેની નિર્વાહ નથી કરી શકતી, કે તેને કામે નથી લગાડી શકતી. ઉત્પાદક મજૂરીને નિર્વાહ કરનાર, કે તેને કામે લગાડનાર તો, તે ચીજ ઉત્પન્ન થતા પહેલાં, તેને ઉત્પન્ન કરનારા મજૂરોને રોજી આપવામાં કે તેમને કામે લગાડવામાં ખરચાતી મૂડી છે.”
તેથી, વસ્તુ ખરીદવી એટલે દેશની ઉદ્યોગશક્તિને કામે લગાડવી એ અર્થ હરગિજ ન કરી શકાય.”
એટલે, રેલવેએથી દેશની પેદાશનું બજાર વધતું હોવાથી દેશની પેદાશને ઉત્તેજન મળે છે, એમ કહેનારાઓને હું એટલું જ કહીશ, કે “વસ્તુની માગ એટલે દેશની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org