________________
હિંદુસ્તાનની ગરીબાઈ આવતી બધી કહેવાતી પ્રગતિથી, દેશની સ્થિતિ પેલા માંદા છોકરા જેવી થાય છે કે, જેને તેના બાપે ખવરાવેલું બધું મિષ્ટાન્ન, તેને પુષ્ટ કરવાને બદલે તેના પેટને વધુ બગાડી, તેને વધુ નિર્બળ બનાવે છે.
પરંતુ અહીં સુધી તો, તે બધાં બાંધકામે કે ખાતાંમાં વધારે પડતા તેમ જ બને તેટલા પરદેશીઓ ઘુસાડીને તેમના પગારો મારફતે ચલાવવામાં આવતી લૂંટની વાત જ આપણે કરી. પરંતુ, તે બાદ કરતાં, રેલવે વગેરેથી દેશના માલનું પરદેશી બજાર વધવાથી, અને તેટલા પ્રમાણમાં દેશની પિદાશ વધવાથી દેશના લોકોની સંપત્તિ વધે છે એ દલીલનો જવાબ આપવાનું રહે છે. આગળનાં પ્રકરણમાં આપણે જોઈ આવ્યા તેમ, પરદેશી રાજ્યને કારણે દેશની મૂડીમાંથી દર વર્ષે મોટો ઘટાડો થતો જાય છે, એટલે તેટલા પ્રમાણમાં દેશની ઉત્પન્નશક્તિ વર્ષોવર્ષ ઘટતી જાય છે. પરદેશી રાજ્યથી જ્યાં સુધી દર વર્ષે દેશની મૂડીમાંથી માટી રકમ પરદેશ ઘસડાયા કરે છે, ત્યાં સુધી દેશની નીપજ વધવાને અદલે વર્ષોવર્ષ ઘટતી જ જવાની. આ મુદ્દો એટલો અગત્યને છે, તેમ જ ઘણું તે વિષે એટલા અણુજાણ હોય છે કે, હું જૉન ટુઅર્ટ મિલકત અર્થશાસ્ત્રના પ્રકરણ ૫ માંથી તેને લગતા કેટલાક સિદ્ધાંતના ઉતારા અહીં ટાંકી બતાવીશ.
દેશની ઉદ્યોગશક્તિ હંમેશાં દેશની મૂડી વડે મર્યાદિત હોય છે.” .
“દેશની પાસે ઉદ્યોગમાં રોકવા માટે જેટલી મૂડી હોય, તેથી વધારે પ્રમાણમાં કદી ઉદ્યોગ સંભવી શકે નહીં.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org