________________
રેલવે વગેરે બાંધકામે આપે છે. ત્યાર બાદ પણ રેલવેથી થતી આવકને બધે ભાગ (ઉછીની આણેલી મૂડીનું વ્યાજ બાદ કરતાં) દેશમાં જ રહે છે. એટલે ઉછીની આણેલી મૂડી વડે રેલવે બાંધવાથી રેલવેએ વડે જેટલા ફાયદા સ્વાભાવિક રીતે કોઈ પણ દેશને મળે, તે બધા જ તેને મળી રહે છે. પરંતુ હિંદુસ્તાનમાં શું થાય છે? અહીં તો, રેલવે બંધાતાં બંધાતાંમાં જ ઉછીની આણેલી રકમમાંથી ડિરેકટરે, સુપરિન્ટેન્ડન્ટો, અમલદારે, ઈજનેરે વગેરેના મેટા મેટા પગાર પેટે કેટલાય મોટા ભાગ પરદેશ તણાઈ જાય છે; અને રેલવે બંધાઈ રહ્યા પછી પણ રેલવેની આવકનો મેટો ભાગ અંગ્રેજ અમલદારાના પગારે મારફત પરદેશ તણાયાં કરે છે. એટલે કે, રેલવેના દેવાને તમામ બોજો અને જવાબદારી હિંદુસ્તાનને માથે ચોંટે છે, પણ રેલવેની આવકનો મોટો ભાગ પરદેશીઓ લઈ જાય છે.
ટૂંકમાં, વસ્તુસ્થિતિ એ છે કે, હિંદુસ્તાનમાં સુધારા અને પ્રગતિને નામે જે નવાં કામો કે ખાતાં શરૂ કરવામાં આવે છે, તે અંતે તો એટલા વધારે અંગ્રેજોને માટે નવી જોગવાઈપ જ હોય છે. અને હિંદુસ્તાનને તો તેને કારણે ન લાભ થવાને બદલે, તેટલું નવું ખર્ચ ઉઠાવવાનું જ આવ્યું હોય છે. રેલવે વગેરે બાંધકામો આપણે જરૂર જોઈએ છે; પરંતુ તે એવી રીતે ઉપાડવાં તેમ જ ચલાવવાં જોઈએ કે, તેથી તેમાંથી નીપજતા બધા સ્વાભાવિક લાભ દેશને જ મળે. ખાસ આવશ્યક એટલા અંગ્રેજ સલાહકાર કે માર્ગદર્શન માટે ખર્ચવા પડે તેટલા પૈસા ખર્ચવા આપણે જરૂર તૈયાર છીએ; પરંતુ તે ઉપરાંત એક પણ અંગ્રેજ માટે નહિ. અત્યારે તો પરદેશી મૂડી ઉછીની આણુને સાધવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org