________________
રેલવે વગેરે બાંધકામે એમ કહેવામાં આવે છે કે, રેલવે વગેરે બાંધકામોને લીધે હવે દેશની પેદાશનાં બજારે વધવાથી તેમ જ દેશની પેદાશમાં વધારો થવાથી દેશની સંપત્તિમાં વધારો થાય છે, અને થયે જાય છે. આ દલીલ તપાસતી વખતે હું બીજા પણ એક બે મુદ્દાની ચર્ચા કરી લેવા માગું છું.
રેલવેથી સામાન્ય રીતે દેશને નીચેના ફાયદા થાય છે? દેશના જે ભાગમાં કઈ વસ્તુની પેદાશ થતી હોય, કે વધારે થતી હોય, ત્યાંથી દેશને જે ભાગમાં તે પેદાશ ન થતી હોય, કે તેની વધારે પ્રમાણમાં જરૂર હોય, તે ભાગમાં રેલવે વડે તે પેદાશ એ છે ખર્ચ અને જલદી લઈ જવાય છે. તેથી દેશની પેદાશનો જરા પણ હિસ્સે નકામો જતો નથી. જે રેલવેની સગવડ ન હોય, તો જે ભાગમાં તે વસ્તુની પેદાશ વધારે હોય, ત્યાં તે નકામી જાય, અથવા તેની પેદાશ ઓછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org