________________
સેનું ચાંદી જે મબલક પૈસા કમાય છે, તેમાંથી ઘેર મેકલાતી આવકરૂપે આવે છે.
આ ઉપરાંત એક બીજી વાત પણ ધ્યાનમાં રાખવાની છે. ઈગ્લેંડ હિંદુસ્તાનમાંથી શરૂઆતમાં એટલું બધું સોનું તથા ચાંદી ઘસડી ગયું છે, કે અત્યારે સામાન્ય વ્યવહાર માટે પણ તેને પરદેશથી સોનું ચાંદી મંગાવવાં પડે છે. કંપનીસરકારના અંગ્રેજ કરે એ ન્યાયી કે અન્યાયી રીતે જે મેટી રકમ હિંદુસ્તાનમાંથી પડાવીને વર્ષોવર્ષ ઈગ્લેંડ મોકલ્યા કરી હતી, તેની ગણતરી કાઈ કરી આપી શકશે ? સર જૉન શેરે ઈ. સ. ૧૭૮૭માં જણાવ્યું છે કે, “છેલ્લાં ૨૫ વર્ષ દરમ્યાન હિંદુસ્તાનમાંથી મોટા પ્રમાણમાં સેનું ચાંદી પરદેશ મોકલવામાં આવ્યાં છે. તેમાંય ખાસ કરીને તો છેલ્લાં દશ વર્ષ દરમ્યાન કંપની સરકાર ઉપરાંત જુદી જુદી વ્યક્તિઓએ ઘણું મટી કિંમતની ચાંદી યુરેપ તરફ ચડાવી છે. તેનો આંકડો નકકી કરી શકાય તેમ નથી, પરંતુ તે રકમ ઘણી મોટી છે એમાં શંકા નથી. મને એમ કહેવામાં જરાય આનાકાની નથી થતી કે, કંપનીએ દીવાની સત્તા હાથમાં લીધી ત્યારથી દેશમાંથી ચલણી નાણું ઘણું મોટા પ્રમાણમાં ઘટી ગયું છે. પહેલાં જે જે રસ્તાઓ મારફતે હિંદુસ્તાનમાં બહારથી સોનું ચાંદી આવતાં, તે તો બધા હવે બંધ થઈ ગયા છે. . . . આ પ્રમાણમાં દેશમાં થયેલા સોનાચાંદીના મેટા ઘટાડાને હું એક મોટી આફત સમાન માનું છું.'
એટલે કે, હિંદુસ્તાનને બહારથી સોનું ચાંદી ખરીદવાની જરૂર પડી ત્યાર પહેલાં દેશમાંથી કંપની સરકારે અને તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org